Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્રાહ્મણ નવવધૂઓ માટે આ રાજ્યની સરકારની વિશેષ યોજના, પુજારી સાથે લગ્ન કરવા બદલ મળશે 3 લાખ રૂપિયા

બ્રાહ્મણ નવવધૂઓ માટે આ રાજ્યની સરકારની વિશેષ યોજના, પુજારી સાથે લગ્ન કરવા બદલ મળશે 3 લાખ રૂપિયા
, શનિવાર, 9 જાન્યુઆરી 2021 (12:47 IST)
કર્ણાટક રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડ તરફથી  આર્થિક રીતે નબળા વર્ગની (EWS) - દુલ્હનો માટે બે નવી યોજનાઓ 'અરૂંધતી' અને 'મૈત્રેયી'  રજૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બીએસ યેદિયુરપ્પાની સરકારે આ બોર્ડની રચના કરી હતી. બોર્ડના જણાવ્યા મુજબ, પ્રથમ યોજના- અરૂંધતિ, જે અંતર્ગત બ્રાહ્મણ નવવધૂઓને 25,000 રૂપિયા પ્રદાન કરશે. બીજી યોજના- મૈત્રેયી, જે અંતર્ગત રાજ્યના પુજારી સાથે લગ્ન કરનારી બ્રાહ્મણ મહિલાઓ ત્રણ લાખ રૂપિયા આપશે.
 
બોર્ડના અધ્યક્ષ અને ભાજપના નેતા એચ.એસ. સચિદાનંદ મૂર્તિએ કહ્યું, "અમને યોજનાઓ શરૂ કરવાની મંજૂરી મળી છે. અરુંધતી અને મૈત્રેયી માટે અલગ ભંડોળ ગોઠવવામાં આવ્યું છે. અમે આ ભંડોળનો લાભ લેવા પ્રક્રિયાઓને આગળ વધારીશું. પ્રક્રિયામાં છે. સમુદાયના નબળા વર્ગને મદદ કરવાના અમારા પ્રયત્નોનો એક ભાગ છે.
 
આ યોજનાઓનો લાભ મેળવવા માટે, અરજદારોએ પ્રમાણિત કરવું જરૂરી છે કે તેમની પાસે પાંચ એકર અથવા તેથી વધુ ખેતીની જમીન નથી. અરજદાર પાસે 1000 ચોરસ ફૂટથી વધુ મોટુ મકાન નથી. પરિવારની આવક વાર્ષિક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માઘવ સિંહ સોલંકીને કારણે શરૂ થઈ હતી મધ્યાહન ભોજન યોજના, જાણો માઘવ સિંહ સોલંકીની જીવનયાત્રા વિશે