Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs AUS : કેએલ રાહુલ સાથે થઈ ગઈ મોટી ગેમ, BCCI એ લીધો મોટો નિર્ણય

KL Rahul
, સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (14:54 IST)
IND vs AUS Test Series BCCI : ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં બે મેચ થઈ ચુકી છે. બંને મેચ જીતેની ટીમ ઈંડિયા સીરીઝમાં બઢત બનાવી ચુકી છે.  આ વચ્ચે હવે બે ટેસ્ટ હજુ બાકી છે.  જો કે હાલ એને લઈને લગભગ 10 દિવસનો ગૈપ છે અને ત્રીજી મેચ 1 માર્ચથી ઈન્દોરમાં રમાશે. આ માટે BCCI દ્વારા ભારતીય ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેથી હવે પસંદગી સમિતિમાં માત્ર ચાર પસંદગીકારો બચ્યા છે, જેમણે મળીને બે ટેસ્ટ અને ત્રણ વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ સાથે મોટી રમત થઈ છે. BCCI કે કહીએ કે સિલેક્ટરોએ એવું કામ કર્યું છે, જેના વિશે કોઈને ખબર પણ ન પડી અને કામ પણ થઈ ગયું.
 
બીસીઆઈએ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી માટે કેએલ રાહુલને ઉપકપ્તાનીમાથી હટાવ્યા 
 
બીસીસીઆઈની તરફથી બચેલા બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈંડિયાનુ એલાન કરવામાં આવ્યુ છે. તેમા વધુ મોટા બદલાન નથી કર્યા. મતલભ લગભગ એ જ ટીમ રમતી જોવા મલી રહી છે. પણ એક મોટો ફેરફ્યાર કર્યો છે.  એ ફેરફાર એ છે કે અગાઉની બે ટેસ્ટ મેચ માટે કપ્તાન રોહિત શર્મા અને ઉપકપ્તાનની જવાબદારી કેએલ રાહુલના ખભા પર નાખવામાં આવી હતી.  આ વખતે કપ્તાન તો રોહિત શર્મા જ છે. પણ ઉપકપ્તાન કોઈને બનાવાયો નથી. મતલબ કેએલ રાહુલની ખુરશી લગભગ ગઈ છે. હવે સવાક એ છે કે ઉપકપ્તાનીની જવાબદારી કોણે આપવામાં આવશે.  આ નિર્ણય બીસીસીઆઈ પછી કરશે. કારણ કે હજુ ત્રીજી ટેસ્ટ માટે લગભગ 10 દિવસ બચ્યા છે.  માનવામાં આવે છે કે પ્લેઈંગ ઈલેવનમાં જે ખેલાડી બંને મેચ રમતા જોવા મળશે તે વાઇસ કેપ્ટન બની શકે છે. આ પહેલા ચેતેશ્વર પૂજારા વાઇસ કેપ્ટન હતો. રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન પણ ટીમ માટે સતત રમશે એટલે કે વાઈસ-કેપ્ટન્સી માટે આ ત્રણેય ખેલાડીઓનો દાવો સૌથી મજબૂત માનવામાં આવે છે, પરંતુ આખરી નિર્ણય બીસીસીઆઈ અને પસંદગી સમિતિ લેશે.
 
કેએલ રાહુલ બાકી બે ટેસ્ટ મેચોની પ્લેઈંગ ઈલેવનમાંથી થઈ શકે છે બહાર 
 
કેએલ રાહુલની વાત કરવામા આવે તો પહેલા બે ટેસ્ટમાં તેમનુ બેટ બિલકુલ પણ ચાલ્યુ નહી. તેઓ એકદમ ફ્લોપ રહ્યા છે. આ વાત સત્ય છે કે ભલે નાગપુરની વાત કરવામાં આવે કે દિલ્હીની બંને પિચ પર બેટિંગ કરવી સહેલી નહ્હોતી. પણ ત્યારબાદ પણ પહેલી મેચમાં જ્યા એક બાજુ કપ્તાન રોહિત શર્માએ સદી મારી તો બીજી બાજુ રવીન્દ્ર જડેજા અને અક્ષર પટેલે પણ નીચલા ક્રમમાં આવીને સારી બેટિંગ કરી. ત્યારબાદ બીજી મેચમાં પણ રવીન્દ્ર જડેજા  અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને સારા હાથ બતાવ્યા, પરંતુ કેએલ રાહુલનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું. કેએલ રાહુલ વાઈસ-કેપ્ટન હોવાથી પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે, આવી સ્થિતિમાં શુભમન ગિલને બહાર બેસવું પડશે. હવે જો રાહુલ વાઈસ-કેપ્ટન નથી તો તે પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર થઈ શકે છે. કોઈપણ રીતે, આગામી બે કસોટીઓ ખૂબ મહત્વની બનવાની છે. ભારતીય ટીમે ભલે બે મેચ જીતીને અજેય લીડ મેળવી લીધી હોય, પરંતુ સિરીઝ જીતવા અને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જવા માટે ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ બે મેચ જીતવી જરૂરી છે. હવે જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ, બીસીસીઆઈ અને પસંદગીકારો આગામી મેચોમાં કેએલ રાહુલ વિશે શું નિર્ણય લે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફેસબુક, ઈંસ્ટાગ્રામ પર શરૂ થશે ફીની સાથે બ્લૂ ટિક સુવિધા