Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

HBD - કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ

HBD - કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ
, શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (10:08 IST)
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૈતૃક ગામ માણસામાં આજે બહુચર માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેમાં અમિત શાહ પણ હાજર રહેશે. મંદિરમાં થનાર ઉત્સવ માટે અમિત શાહનો પરિવાર સોમવારે જ માણસા આવી ગયો છે. તો બીજી તરફ અમિત શાહ રાત્રે અમદાવાદ પહોંચી ગયા હતા. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ગામમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહેલી તૈયારીઓને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે. 
 
તમને જણાવી દઇએ કે અમિત શાહ માણસના મૂળ નિવાસી છે અને તેમનું બાળપણ આ ગામમાં વિત્યું છે. કેંદ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પણ તે મોટાભાગે પારિવારિક ક્રાર્યક્રમોમાં ભાગ લેવા આવતા રહે છે. આ ઉપરાંત તે પરિવાર સહિત નવરાત્રિમાં અહીં આવે છે. અમિત શાહનો પરિવાર અહીંના પ્રાચીન બહુચર માતા મંદિરમાં પૂજા અર્ચના કરે છે. હવે આ નાના મંદિરને ભવ્ય રૂપ આપવામાં આવી રહ્યું છે. બુધવારે બપોરે 12: 39 વાગે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, જેમાં અમિત શાહ પણ હાજર રહેશે. 
 
ઉત્સવની તૈયારી માટે અમિત શાહની પત્ની સોનલબેન અને પુત્ર જય શાહ પરિવારના અન્ય સભ્યો સાથે માણસા સ્થિત ઘરે પહોંચી ગયા છે. પરિવારના લોકો ગ્રામીણોની સાથે તૈયારીમાં લાગી ગયા છે. સોમવારે રાત્રે અહીં ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભોજનું આયોજન કરવામાં આવ્યું છે.
 
સરનામાંની મુખ્ય થીમ શું હશે તે અંગે માહિતી આપવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તે કોરોના સામેના યુદ્ધમાં દેશને એક નવો સંદેશ આપશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM Modi address to nation : PM મોદીનું દેશને સંબોધન