rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં ક્યા ક્યા વાગશે યુદ્ધવાળું સાયરન ? વહીવટીતંત્રએ કરી મોકડ્રિલની તૈયારી

India Pakistan Tension
, મંગળવાર, 6 મે 2025 (23:16 IST)
flag
India Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા વચ્ચે, ગૃહ મંત્રાલયે યુદ્ધના સાયરન વગાડવાના નિર્દેશો આપ્યા છે. સોમવારે ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો અને તમામ રાજ્યોને 7 મે એટલે કે આવતીકાલે આ માટે મોક ડ્રીલ કરવા સૂચનાઓ જારી કરી. આ મોક-ડ્રીલ નાગરિકો યુદ્ધ દરમિયાન વાગતા સાયરનને ઓળખી શકે તે માટે હાથ ધરવામાં આવશે. આ સમય દરમિયાન યુદ્ધના સાયરન થોડા સમય માટે વાગતા રહેશે. જોકે, નાગરિકોએ આ અંગે ગભરાવાની જરૂર નથી.
 
આ સ્થળોએ વાગશે સાયરન
પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્ય ગુજરાતમાં 18 સ્થળોએ યુદ્ધ સાયરન સાથે મોક ડ્રીલ કરવા સૂચનાઓ રજુ કરવામાં આવી છે. સરકારે રાજ્યના આ તમામ શહેરોને સાયરન વગાડવા માટે ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કર્યા છે. ત્રણ સ્થળો - સુરત, વડોદરા અને કાકરાપારને પ્રથમ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. સુરત અને વડોદરાની ગણતરી વ્યવસાય માટે રાજ્યના મુખ્ય શહેરોમાં થાય છે. કાકરાપારમાં એક પરમાણુ વીજ પ્લાન્ટ છે, જેના કારણે તેને અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યો
 
બીજી શ્રેણીમાં ગુજરાતમાં 9 સ્થળોનો સમાવેશ થાય છે - અમદાવાદ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા અને વાડીનાર. જ્યારે ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીને ત્રીજા કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના આદેશ પર, રાજ્ય સરકારે મોકડ્રીલ માટેની તૈયારીઓ કરી લીધી છે.
 
યુદ્ધના સાયરનને કેવી રીતે ઓળખશો ?
યુદ્ધ દરમિયાન સાયરન વગાડવાના અનેક ઉદ્દેશ્ય છે, જેમાં લોકોને હવાઈ હુમલાની ચેતવણી આપવા, વાયુસેના સાથે રેડિયો સંપર્ક સ્થાપિત કરવા અથવા નાગરિક સંરક્ષણ તૈયારીઓ, બ્લેકઆઉટ અને કંટ્રોલ રૂમની તૈયારી કસરતો તપાસવાનો સમાવેશ થાય છે. યુદ્ધના સાયરન 2 થી 5 કિલોમીટર દૂર સુધી સાંભળી શકાય છે. આ સામાન્ય એલાર્મ કે એમ્બ્યુલન્સ સાયરન જેવું નહીં હોય. આ એક મોટેથી ચેતવણી પ્રણાલી હશે, જે 120 થી 140 ડેસિબલ સુધીનો અવાજ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે ભારતનું પાણી ભારતના પક્ષમાં વહેશે, પહેલા તે બહાર જતું હતું', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન