Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરનાથ ગુફામાંથી બાબા બર્ફાનીની પ્રથમ તસ્વીર, આ વખતે 20 દિવસ વધુની યાત્રા

અમરનાથ ગુફામાંથી બાબા બર્ફાનીની પ્રથમ તસ્વીર, આ વખતે 20 દિવસ વધુની યાત્રા
શ્રીનગર , શુક્રવાર, 4 મે 2018 (15:46 IST)
. હિમાલયમાં આવેલ પવિત્ર અમરનાથ ગુફામાંથી ગુરૂવારે બાબા બર્ફાનીની પ્રથમ ફોટો મીડિયામાં આવી. ગુફામાં બરફથી બનેલા 12 ફીટના પ્રાકૃતિક શિવલિંગના દર્શન માટે દક્ષિણ કાશ્મીરમાં તીર્થયાત્રાને શરૂઆત 28 જૂનથી થશે.  આ વખતે બાબા અમરનાથની યાત્રા 20 દિવસ વધુ થશે અને આ રક્ષાબંધનના દિવસે 26 ઓગસ્ટના રોજ ખતમ થશે.  આ માટે આખા દેશમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુ રજિસ્ટ્રેશન કરી ચુક્યા છે. યાત્રા દરમિયાન જમ્મુમાં પણ 4 સ્થાન પર રજિસ્ટ્રેશનની સુવિદ્યા રહેશે. 
 
 
અત્યાર સુધી એક લાખથી વધુ રજિસ્ટ્રેશન 
 
- અમરનાથની પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન માટે દર વર્ષે  હજારો શ્રદ્ધાળુ યાત્રામાં સામેલ થાય છે.  સાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાએ જણાવ્યુ કે આ વખતે દેશભરના એક લાખથી વધુ લોકોએ અત્યાર સુધી યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. પંજાબ નેશનલ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક અને યસ બેંકની શાખાઓ દ્વારા રજિસ્ટ્રેશન ચાલુ છે. 
 
- નરુલા મુજબ આ વખતે તીર્થ યાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થાન (વૈષ્ણવ ધામ, સરસ્વતી ધામ, જમ્મુ હાટ અને ગીતા ભવન-રામ મંદિર) પર યાત્રા સ્થળ પર જ રજિસ્ટ્રેશનની સુવિદ્યા ઉપલબ્ધ રહેશે.  બીજી બાજુ હેલિકોપ્ટર દ્વારા યાત્રા માટે ટિકિટનુ ઓનલાઈન બુકિંગ 27 એપ્રિલથી શરૂ થઈ ચુક્યુ છે. 
 
 
પોલીસની પુરી તૈયારી 
 
- પોલીસે અમરનાથ યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટેની યોજના પર કામ શરૂ કરી દીધુ છે.  જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અને સાઈન બોર્ડના ચેયરમેન એનએન વોહરાની અધ્યક્ષતામાં સોમવારે થયેલ બેઠકમાં સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી હતી. 
- આ બેઠકમાં રાજ્યના જમ્મુ ક્ષેત્ર પોલીસ મહાનિરીક્ષક એસડી સિંહ જામવલ હાજર હતા. તેમણે કહ્યુ કે પોલીસ ધાર્મિક યાત્રામાં દરેક ખતરાની શક્યતાનો સામનો કરવાની યોજના પર કામ કરી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેટ્રોમાં મહિલાને ચોંટી કરતો હતો ગંદા કામ, જોયું તો આશ્ચર્ય થયું હતું