Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં લાગી આગ પર કાબુ, કોઈ જાનહાનિ નહી

સસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં લાગી આગ પર કાબુ, કોઈ જાનહાનિ નહી
નવી દિલ્હી. , સોમવાર, 17 ઑગસ્ટ 2020 (08:58 IST)
સોમવારે સવારે સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં આગ લાગી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આગ સંસદ એનેક્સી બિલ્ડિંગ(Parliament Annexe Building Fire)  ના છઠ્ઠા માળે લાગી. જોકે, ફાયર બ્રિગેડની 4 ટ્રેનોએ જલ્દીથી આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે કોઈ પણ પ્રકારની સંપત્તિને નુકસાન થવાના સમાચાર નથી.

 
એવુ માનવામા આવે છે કે  આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જો કે, કારણો શોધવા માટે તપાસ કરવામાં આવશે.
 
આ અગાઉ શુક્રવારે સાઉથ બ્લોકમાં સંરક્ષણ મંત્રાલયના કેબિનમાં આગ લાગી હતી, પરંતુ આગને કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ફાયર બ્રિગેડના વાહનોએ જલ્દીથી આગ પર કાબૂ મેળવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું અવસાન થયું