Publish Date: Mon, 27 Oct 2025 (08:04 IST)
Updated Date: Mon, 27 Oct 2025 (08:11 IST)
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં રવિવારે રાત્રે એક દુ:ખદ ઘટના બની. એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી. રેસ્ટોરન્ટની ઉપર એક ઘર પણ બનેલું હતું. આગ ધીમે ધીમે ઇમારતમાં ફેલાઈ ગઈ. ઘટના સમયે 15 થી 16 લોકો હાજર હતા, જેમાંથી 1 મહિલાનું મોત નીપજ્યું હતું. જોકે, માહિતી મળતા જ સાત ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ઘણા લોકો દાઝી ગયા હતા
આ ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે આગ ફેલાઈ હતી. લગભગ 7 દર્દીઓને મુરાદાબાદ જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મૃતક મહિલાની ઉંમર આશરે 56 વર્ષની હોવાનો અંદાજ છે. બાકીના દર્દીઓ સ્થિર સ્થિતિમાં છે. ફાયર વિભાગ પણ સમયસર રેસ્ટોરન્ટમાં પહોંચીને આગને કાબુમાં લીધી હતી.