Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેહરાદુનમાં આભ ફાટ્યું, સતત 7 કલાકથી વરસાદને પગલે પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યા

દેહરાદુનમાં આભ ફાટ્યું, સતત 7 કલાકથી વરસાદને પગલે પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યા
, બુધવાર, 25 ઑગસ્ટ 2021 (14:13 IST)
રાજધાની દહેરાદૂનના સંતલા દેવી મંદિરની પાસે મંગળવારે રાત્રે વાદળોએ તબાહી મચાવી દીધી. બે વાર વાદળ ફાટવાના કારણે અનેક ઘરોમાં પાણીની સાથે સાથે પહાડથી આવનારો કાટમાળ પણ ઘરમાં ઘૂસી 
ગયો છે. દહેરાદૂનમાં સતત 7 કલાકથી વરસાદ થવાથી સ્થિતિ ખરાબ થઈ છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. સંતલા દેવી વિસ્તારમાં બે વાર વાદળ ફાટ્યા. જેમાં સ્થિતિ વધારે કાબૂમાં થઈ છે. કોઈ જાનહાની નથી થઈ.
 
ઘરોમાં પણ પાણી જ નહી પણ માટી અને મોટા મોટા પત્થર ઘૂસી ગયા. જો કે સ્થિતિ આ થઈ ગઈ કે જ્યાં અનેક જગ્યાઓ પર મોટી મોટી ગાડીઓ જઈ શકતી હતી ત્યાં એસડીઆરએફે રસ્સીથી લોકોને રેસ્ક્યૂ કરવા પડ્યા હતા.
 
પૂર્વ ધારાસભ્ય રાજકુમારે જણાવ્યું કે ઘણા લોકોના ઘરોમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયું છે. નદીના મજબૂત પ્રવાહથી કેટલાક ઘરોને પણ ખતરો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે, કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રીની જાહેરાત