Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા, ગંભીર બીમારીવાળા ભક્તોને યાત્રા ન કરવાની અપીલ

ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા, ગંભીર બીમારીવાળા ભક્તોને યાત્રા ન કરવાની અપીલ
દેહરાદૂન. , શનિવાર, 25 મે 2024 (12:45 IST)
10 મે થી શરૂ થઈ ચારધામ યાત્રાના પહેલા પખવાડિયામાં યાત્રા માર્ગ પર 50થી અધિક શ્રદ્ધાળુઓની મોત થઈ ચુકી છે. ગઢવાલ આયુક્ત વિનય શંકર પાંડેયના અહી સંવાદદાતા સંમેલમાં જણાવ્યુ કે ચારઘામની યાત્રા પર આવેલ 52 શ્રદ્ધાળુઓની મૃત્યુ થઈ ચુકી છે અને તેમાથી મોટાભાગની મોત હાર્ટએટેકથી થઈ. 
 
તેમને જણાવ્યુ કે ત્રણ શ્રદ્ધાળુઓનુ મોત ગંગોત્રીમાં 12 ની યમુનોત્રીમાં 14 ની બદરીનાથ અને 23ની કેદારનાથમાં મૃત્યુ થયુ. પાંડેયએ કહ્યુ કે ચારઘામ યાત્રા માર્ગ પર 50 વર્ષની વયથી વધુના શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય તપાસ અનિવાર્ય કરી દીધી છે અને તેમને સલાહ આપવામાં આવી રહી છે કે જો સ્વાસ્થ્ય સંબંધી કોઈ ગંભીર પરેશાની હોય તો તે યાત્રા ન કરો. 
 
તેમણે કહ્યુ કે જો શ્રદ્ધાળુ યાત્રા કરવાના પોતાના નિર્ણય પર કાયમ રહે છે તો તેમને એક ફોર્મ ભરવાની આગળ જવા  આપવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે ચારધામ યાત્રા માર્ગ પર વ્યવસ્થા સારુ કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 
 
ગઢવાલના કમિશનરે કહ્યું કે અત્યાર સુધીમાં 9,67,302 શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે ચારેય ધામોમાં યાત્રા સુચારૂ રૂપથી ચાલી રહ્યુ છે અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સૂચના આપી છે કે શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા અત્યંત મહત્વની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છઠ્ઠા તબક્કામાં 58 બેઠકો પર આજે મતદાન, કયા ઉમેદવારોના ભવિષ્યનો આજે ફેસલો થશે?