Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Vaccination- 12 થી 14 વર્ષ સુધીના બાળકોને પણ લાગશે વેક્સીન જાણો ક્યારથી

Corona Vaccination- 12 થી 14 વર્ષ સુધીના બાળકોને પણ લાગશે વેક્સીન જાણો ક્યારથી
, સોમવાર, 17 જાન્યુઆરી 2022 (12:45 IST)
દેશમાં કોરોનાના નવા વેરિએંટ (Omicron Cases in India) ઓમિક્રોનના વધતા કેસની વચ્ચે જલ્દી જ 12-14 વર્ષના બાળકોને પણ વેક્સીન લાગશે. NTAGI ગ્રુપના ચીફ ડૉ. એન કે અરોડાએ કહ્યુ કે માર્ચથી આ બાળકોને વેક્સીન લાગશે. ઉલ્લેખનીય છે કે આ સમયે 15-17 વર્ષના બાળકોને કોરોના વેક્સીન અપાઈ રહી છે. 
 
અરોડાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 15-17 વર્ષની વયના ત્રણ કરોડથી વધુ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. જો કહેવામાં આવે તો માત્ર 13 દિવસમાં આ ઉંમરના લગભગ 45% બાળકોને રસી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીથી 15-17 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થયું હતું.
 
અરોરાએ કહ્યું, 'જાન્યુઆરીના અંત સુધીમાં, 15-17 વર્ષની વય જૂથના 7.4 કરોડ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળશે. આ પછી, ફેબ્રુઆરીની શરૂઆતથી, અમે આ બાળકોને બીજો ડોઝ આપવાનું શરૂ કરીશું અને મહિનાના અંત સુધીમાં, દરેકને રસીનો બીજો ડોઝ મળી જશે. તે પછી અમે ફેબ્રુઆરીના અંતથી અથવા માર્ચની શરૂઆતથી 12-14 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરી શકીએ છીએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના મહામારીના 21 મહિનામાં 1 લાખ 47 હજાર બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, સુપ્રીમ કોર્ટમાં NCPCR નો રિપોર્ટ