Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bihar political crisis - લાલુ યાદવે 5 વખત ફોન કર્યો, CM નીતિશે એક પણ વાર ન ઉપાડ્યો, ભાજપ સાથે મિલાવશે હાથ ?

nitish kumar
, શનિવાર, 27 જાન્યુઆરી 2024 (09:46 IST)
- નીતિશ કુમાર મહાગઠબંધનથી દૂર થઈને ભાજપમાં ફરી જોડાય તેવી શક્યતા
- ટોચના અધિકારીઓ વચ્ચે દિલ્હીમાં થયેલી બેઠક 
- 28 જાન્યુઆરીએ બિહારમાં મોટો ખેલ 
 
 Bihar political crisis: બિહારમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એવી અટકળો ચાલી રહી છે કે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર મહાગઠબંધનથી દૂર થઈને ભાજપમાં ફરી જોડાય તેવી શક્યતા છે, જેમાં ઈન્ડિયા બ્લોકના સાથી પક્ષો સાથે તણાવ વધી રહ્યો છે.
 
 હવે સમાચાર આવી રહ્યા છે કે નીતિશ કુમારે આરજેડી સાથેના સંબંધો તોડીને ભાજપ સાથે સરકાર બનાવવાની અટકળો વચ્ચે લાલુ પ્રસાદ યાદવે સીએમ નીતિશને પાંચ વખત ફોન કર્યો. પરંતુ સીએમ નીતીશે એક પણ જવાબ ન આપ્યો.
 
આટલું જ નહીં, બેચેન લાલુ પ્રસાદે સીએમ નીતિશની લેન્ડલાઈન પર ફોન પણ કર્યો, પરંતુ સીએમ નીતિશે લાલુ સાથે વાત કરવાની ના પાડી.
 
નીતીશ આ દિવસે ભાજપ સાથે હાથ મિલાવી શકે છે
 
નીતીશ કુમાર 28મી જાન્યુઆરીએ તેમની નવમી મુદત માટે ફરીથી મુખ્ય પ્રધાન તરીકે શપથ લે તેવી શક્યતા છે, જ્યારે ભાજપના નેતા સુશીલ કુમાર નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે, સૂત્રોએ  જણાવ્યું હતું.   બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરી, વરિષ્ઠ નેતાઓ સુશીલ મોદી અને વિજય કુમાર સિંહા અને અમિત શાહ સહિત પાર્ટીના ટોચના અધિકારીઓ વચ્ચે દિલ્હીમાં થયેલી બેઠક બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 28 જાન્યુઆરીએ બિહારમાં મોટો ખેલ થઈ શકે છે.
 
JDU MLAનો દાવો - મહાગઠબંધનમાં નીતિશ સાથે ખરાબ વર્તન થઈ રહ્યું છે
 
JDU ધારાસભ્ય ગોપાલ મંડલે આરોપ લગાવ્યો કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મહાગઠબંધનમાં "સન્માન" આપવામાં આવી રહ્યું નથી, જેમાં RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ સામેલ છે. ગોપાલ મંડલે એવો પણ દાવો કર્યો હતો કે નીતીશ કુમાર "પોતાનું અસ્તિત્વ બચાવવા માટે જોડાણ બદલવા"ની યોજના બનાવી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણીતાં પત્રકાર દિલીપભાઈ ગોહિલની અણધારી વિદાય