Publish Date: Tue, 18 Jun 2024 (11:04 IST)
Updated Date: Tue, 18 Jun 2024 (11:06 IST)
Assam flood- આસામમાં પૂરનો પ્રકોપ ચાલુ છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો આ આફતથી પ્રભાવિત થયા છે. અહેવાલો અનુસાર સોમવારે પૂરની સ્થિતિ વધુ વણસી હતી. આ સંદર્ભમાં, આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના દૈનિક પૂરના અહેવાલ મુજબ, બક્સા, બરપેટા, દરરંગ, ધેમાજી, ગોલપારા, કરીમગંજ, નાગાંવ અને નલબારી જિલ્લામાં સૌથી વધુ લોકો પ્રભાવિત હોવાનું કહેવાય છે.
કરીમગંજ સૌથી વધુ અસરગ્રસ્ત છે
તેમાં કહેવામાં આવ્યું છે કે કરીમગંજ સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં 95,300 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ પછી, નાગાંવમાં લગભગ 5,000 લોકો પ્રભાવિત થયા છે અને ધેમાજીમાં 3,600 થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે. ASDMAએ જણાવ્યું હતું કે હાલમાં 309 ગામો ડૂબી ગયા છે અને સમગ્ર રાજ્યમાં 1,005.7 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે.