Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તિહાડથી નિકળતા જ સંજય સિંહએ ઉડાડી નિયમોના ધજાગરા

તિહાડથી નિકળતા જ સંજય સિંહએ ઉડાડી નિયમોના ધજાગરા
, ગુરુવાર, 4 એપ્રિલ 2024 (11:54 IST)
Sanjay Singh Released: આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સંજય સિંહને મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે બુધવારે સાંજે સંજય સિંહને મુક્ત કરવામાં આવી શકે છે.
 
જેલમાંથી બહાર આવતા જ સંજય સિંહે AAP કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે આ સંઘર્ષનો સમય છે અને હવે હાર ન માનવી જોઈએ. અમારા નેતા જેલમાં છે અને ટૂંક સમયમાં જેલના તાળા તોડીને અમારા નેતાને મુક્ત કરવામાં આવશે. સંજય સિંહે કાર્યકર્તાઓને આ રીતે સંબોધિત કર્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું તેમણે EDની શરતનો ભંગ કર્યો છે.
 
કોર્ટે શું શરત મૂકી?
વાસ્તવમાં, જામીન આપતા પહેલા, કોર્ટે સંજય સિંહને એક શરત સાથે મુક્ત કર્યો હતો, જે મુજબ સંજય સિંહે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસની તપાસ કરી રહેલા અધિકારીને પોતાનો મોબાઈલ નંબર આપવો પડશે અને તેણે તપાસમાં સહકાર આપવો પડશે. કોર્ટની શરતો અનુસાર, તે દારૂ નીતિ મામલે તેમની ભૂમિકા અંગે કોઈ ટિપ્પણી કરશે નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Forbes Rich List: દીકરાના લગ્નમાં અઢળક પૈસા લુટાવ્યા, પછી પણ મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ બન્યા.