Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંજાબમાં મફત વીજળીની ભગવંત માનની જાહેરાત, શું છે યોજના?

પંજાબમાં મફત વીજળીની ભગવંત માનની જાહેરાત, શું છે યોજના?
, રવિવાર, 17 એપ્રિલ 2022 (10:46 IST)
શુક્રવારે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે 1 જુલાઈથી 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીપ્રચારના ઢંઢેરામાં પણ મફત વીજળીનો વાયદો કર્યો હતો.
 
તેમણે કહ્યું કે બે મહિનાની 600 યુનિટ વીજળી મફત આપવામાં આવશે, બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારો અને સ્વતંત્રતાસેનાનીઓને પહેલાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવતી હતી, તેમને પણ 300 યુનિટ વીજળી મફત મળશે.
મુખ્ય મંત્રીએ કહ્યું કે જો કોઈ પરિવાર બે મહિનામાં 600 યુનિટ કરતાં વધુ વીજળીનો વપરાશ કરશે તો તેમણે વધારાના યુનિટનું જ બિલ ચૂકવવાનું રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Flight Fare- મોંઘી થશે હવાઈ મુસાફરી