Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મુના અમૃતસરથી કટરા જતી બસ ખાડામાં પડી, 75 મુસાફરો સવાર હતા; 10 માર્યા ગયા

bus accident in Jammu
, મંગળવાર, 30 મે 2023 (09:44 IST)
Jammu Bus Accident:  જમ્મુમાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અમૃતસરથી કટરા જઈ રહેલી બસ ઝજ્જર કોટલી ખાતે ઊંડી ખીણમાં પડી હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા અને અનેક મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. SDRF અને જમ્મુ-કાશ્મીર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મૃતકોમાં બિહારના લાખી સરાય અને બેગુસરાય જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે.
 
બચાવ કાર્યમાં લાગેલા સીઆરપીએફ અધિકારી અશોક ચૌધરીએ જણાવ્યું કે અમને સવારે દુર્ઘટનાની જાણકારી મળી. તરત જ અમારી ટીમે અહીં પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લગ્ન બાદ કન્યાએ દેશી સ્ટાઈલમાં ખાધો ગુટખા, પતિ ફોન પર વાત કરતો રહ્યો!