Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત, 1100 લોકોએ આસામમાં આશ્રય લીધો છે, હાલત સ્થિર છે, RAF એ ફ્લેગ માર્ચ કાઢ્યો

manipur
, શનિવાર, 6 મે 2023 (21:18 IST)
મણિપુરમાં બુધવારથી મૈતેઈ આરક્ષણ વિવાદને લઈને ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. 100 થી વધુ લોકો ઘાયલ છે, જેમની સારવાર RIMS ઈમ્ફાલ અને જવાહરલાલ નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં થઈ રહી છે. રાજ્યના 1100 લોકોએ આસામમાં આશ્રય લીધો છે. સાથે જ ભારત-મ્યાનમાર સરહદ પર હવાઈ દેખરેખ પણ કરવામાં આવી રહી છે. રેપિડ એક્શન ફોર્સ (RAF) એ સાંજે રાજધાની ઇમ્ફાલમાં ફ્લેગ માર્ચ કાઢી હતી.
 
રાજ્યની સ્થિતિને જોતા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ રાજ્યમાં NEET-UG પરીક્ષા સ્થગિત કરી દીધી છે. જે વિદ્યાર્થીઓને મણિપુર કેન્દ્ર મળ્યું છે તેમની પરીક્ષા પછીથી લેવામાં આવશે. અહીં, દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં કુકી સમુદાયના વિદ્યાર્થીઓએ દાવો કર્યો કે ગુરુવારે રાત્રે  મૈતેઈ સમુદાયના વિદ્યાર્થીઓએ તેમના પર હુમલો કર્યો.
 
તેમને શુક્રવારે FIR નોંધવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ના પાડી, જેના પગલે વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. બાદમાં હુમલાના આરોપી કેટલાક વિદ્યાર્થીઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.
 
8 જિલ્લામાં કર્ફ્યુ, મોબાઈલ ઈન્ટરનેટ બંધ
શુક્રવારે મોબાઈલ ઈન્ટરનેટ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. તોફાનીઓને ગોળી મારવાના આદેશો આપવામાં આવ્યા હતા, તેમજ મણિપુર જતી ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી. હિંસાને જોતા રાજ્યના 16માંથી 8 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
 
સેના અને આસામ રાઈફલ્સના 10 હજાર જવાનો તૈનાત
જોકે, હવે તેમાં રાહત આપવામાં આવી રહી છે. જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. શનિવારે સવારે અહીં દુકાનો ખુલી હતી અને રસ્તાઓ પર કાર દોડતી જોવા મળી હતી. આ વિસ્તારમાં સેના અને આસામ રાઈફલ્સના લગભગ 10,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2023: CSK એ મુંબઈ ઈન્ડિયન્સને ધમાકેદાર અંદાજમાં હરાવ્યુ, આ ખેલાડી બન્યો જીતનો હીરો