Publish Date: Fri, 19 Dec 2014 (10:52 IST)
Updated Date: Fri, 19 Dec 2014 (10:59 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંઘ નેતાઓને સીધી ધમકી આપતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે તેઓ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ જેવા સંગઠનોનું આક્રમણ રોકે નહી તો સ્વતંત્રતાપૂર્વક તેમણે કામ કરવામાં નહી દેવામાં આવે તો તેઓ પોતાનુ પદ છોડવામાં બિલકુલ વિચાર નહી કરે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંઘ નેતાઓએ કહ્યુ કે જનતાએ તેમને પુર્ણ બહુમત સુશાસન. વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે આપ્યુ છે. તેથી પહેલા અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર લાવવી તેમના સરકારની પ્રાથમિકતા છે. રામ મંદિર અને બીજા મુદ્દા પછી જોવાશે. પ્રધાનમંત્રીના આગ્રહ પચેહે સંઘ નેતૃત્વએ વિહિપ અને બજરંગ દળને પીછેહઠ કરવાનો આદેશ આપ્યો.
દિલ્હીમાં પ્રધાનમંત્રીની સાથે સંઘના કેટલાક ટોચના નેતાઓની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે તેમને કામ કરવા માટે સમય જોઈએ. તેઓ વિદેશોમાં ભરતની સકારાત્મક છબિ બનાવીને રોકાણ આમંત્રિત કરી રહ્યા છે. જ્યારે કે વિહિપ અને બજરંગ દળની હરકતો બધા કરવા પર પાણી ફેરવી દેશે અને વિપક્ષને સરકાર અને સંઘ પરિવાર વિરુદ્ધ ઉભા રહેવાની તક મળી જશે.