Publish Date: Sat, 08 Nov 2014 (11:49 IST)
Updated Date: Sat, 08 Nov 2014 (12:00 IST)
આજે સવારે પીએમ મોદી જ્યારે વારાણસીના અસ્સી ઘાટ પર પહોંચ્યા તો ત્યા પાંચ વૈદિક બ્રાહ્મણ તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે ગંગાની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી. પૂજા કર્યા પછી મોદીએ પોતાના હાથમાં પાવડો ઉઠાવ્યો અને ઘાટની સફાઈ કરવામાં લાગી ગયા. મોદી સાથે કેટલાક બીજા લોકો પણ હતા જે આ કામમાં તેમની મદદ કરી રહ્યા હતા.
ત્યારબાદ મોદીએ મીડિયા સાથે વાતો કરી. તેમણે યૂપીના સીએમ અખિલેશ યાદવ સહિત નવ લોકોને નોમિનેત કર્યા જે યુપીને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં તેમની મદદ કરશે અને આ ચેન ને આગળ વધારશે.
લગભગ 11 વાગ્યે તેઓ દિલ્હી માટે રવાના થઈ જશે અને બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં ભાગ લેવાનો છે. મોદી શુક્રવારે વારાણસી પહોંચ્યા હ્તા. જ્યા તેમણે જયાપુર નામના ગામને દત્તક લેવાની જાહેરાત કરી હતી.