Publish Date: Fri, 26 Sep 2014 (10:44 IST)
Updated Date: Fri, 26 Sep 2014 (12:14 IST)
. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે પોતાના પાંચ દિવસના પ્રવાસ માટે ન્યૂયોર્ક પહોંચશે. પણ ત્યા પહોંચતા પહેલા જ એક અમેરિકી કોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સમન્સ જાહેર કર્યો છે. ગુજરત રમખાણને લઈને આ સમન્સ જાહેર કરાયો છે. જણાવાય રહ્ય છે કે ભારત સરકાર તેનો સખત વિરોધ કરવાની તૈયારીમાં છે.
મળતી માહિતી મુજબ ન્યૂયોર્ક સાઉદર્ન ડિસ્ટ્રિટની સંઘીય કોર્ટે વર્ષ 2002ના ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીની કથિત ભૂમિકાને લઈને સમન્સ જાહેર કર્યો છે. આ સમન્સ અમેરિકી જસ્ટીસ સેંટર નામના એક માનવ અધિકાર સંગઠનની અરજી પર જાહેર કરાયો છે.
પોતાની અરજીમાં માનવ અધિકાર સંગઠને નરેન્દ્ર મોદીને નરસંહાર માટે દોષી ગણાવ્યા છે. મોદી પર આરોપ છે કે તેમની નજર હેઠળ લોકોને મારવામાં આવ્યા. મહિલાઓ બેઘર થઈ અને તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યુ.
સંગઠનનું કહેવુ છે કે ગુજરાત રમખાણમાં પીડિતોના અધિકારોનું હનન કરવામાં આવ્યુ છે. આ પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદી પર કાર્યવાહી થવી જોઈએ. સંગઠને રમખાણ પીડિતો માટે વળતર આપવાની માંગણી કરી છે.