Publish Date: Sun, 03 Jun 2007 (10:20 IST)
Updated Date: Tue, 08 May 2007 (12:46 IST)
જપુજી સાહેબ પછી આ બીજી મહત્વપૂર્ણ રચના છે આશા દી વાર. જપુજીનો પાઠ સવારે થાય છે જ્યારે આશા દી વાર નો પાઠ દરરોજ સાંજના સમયે કરવામાં આવે છે. સામાન્ય રીતે વારનો પ્રયોગ વીરતાઓની શોર્યગાથા માટે કરવામાં આવે છે પરંતુ ગુરુનાનકે આનો પ્રયોગ આઘ્યાત્મિક વિચારો માટે કર્યો છે.
આ વાણીના કહેવા મુજબ જીવનમાં વ્યર્થ આડંબરો, રિત રિવાજો ત્યાગીને ગુરુએ બતાવેલ માર્ગ પર જ ચાલવું જોઈએ. સાચા ગુરુ પણ ઈશ્વરની કૃપાથી જ મળે છે.