Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તાજનું સમારકામ ઇન્ટેક કરશે !

તાજનું સમારકામ ઇન્ટેક કરશે !

વાર્તા

નવી દિલ્હી , શુક્રવાર, 28 નવેમ્બર 2008 (15:43 IST)
મુંબઇમાં આતંકીઓએ કરેલા હુમલામાં શિકાર બનેલ તાજ હેરિટેજ હોટલમાં સમારકામ અને સંરક્ષણ માટે ભારતીય રાષ્ટ્રીય કલા અને સાંસ્કૃતિક ધરોહર ટ્રસ્ટ ઇન્ટેક તૈયાર છે.

ઇન્ટેકના અધ્યક્ષ એસ.કે.મિશ્રા અને સદસ્ય સચિવ યોગેન્દ્ર નારાયણે આજે પત્રકારોને આ જાણકારી આપી હતી. પત્રકારોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તાજ હેરીટેજ હોટલના સમારકામની જવાબદારી હોટલ સંગઠનની છે.

પરંતુ તેઓ અમને આ અંગે અનુરોધ કરશે તો અમે તૈયાર છીએ. અમારી પાસે આ કામ માટે વિશેષજ્ઞો છે જેઓ ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati