Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદીની અપીલ, હર હર મોદીના નારા ન લગાવશો

નરેન્દ્ર મોદીની અપીલ, હર હર મોદીના નારા ન લગાવશો
વારાણસી , સોમવાર, 24 માર્ચ 2014 (12:51 IST)
P.R
વારાણસીમાં ભાજપાના ઉત્સાહી કાર્યકર્તાઓ તરફથી લગાવાતા અને પછી દેશભરમાં ગૂંજી રહેલ 'હર હર મોદી, ઘર ઘર મોદી' ના નારા પાર તકરાર વચ્ચે મોદીએ પોતે જ ટ્વીટ કરી સમર્થકોને અપીલ કરી કે તેઓ આ નારાથી દૂર રહે અને આ નારાનુ ઉચ્ચારણ ન કરે.

છેલ્લા અનેક વખતથી ભાજપની રેલીઓમાં હર હર મોદી, ઘર ઘર મોદીનો નારો ઘણો ગુંજી રહ્યો હતો. જોકે આ નારાને કારણે દ્રારકાપીઠના શંકરાચાર્યે ચિંતાતુર બની ગયા હતા.જેની અસરથી આ વિશે સંઘના વડા મોહન ભાગવતને તેમણે ફરિયાદ કરી હતી. મોહન ભાગવતે તેની ગંભીરતાની નોંધ લીધી હોવાનું મનાય છે. આ સંદર્ભે તેમણે સૂચના આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વારાણસીના કાર્યકરોને હર હર મોદીના નારા ના લગાવવાની વિનંતી કરી હતી.
webdunia
P.R

શંકરાચાર્યની નારાજગી બાદ ભાજપે એવુ નિવેદન આપ્યુ છે કે આ નારો અમારો નથી.જોકે હકીકત એ છે કે ભાજપના જ કાર્યકરોએ આ નારો પ્રચલિત કર્યો છે. ભાજપના પોસ્ટોરમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સંદર્ભે ચિંતા વ્યક્ત કરતાં સ્વરૂપાનંદજીએ ભાગવતને એવું પણ કહ્યું કહ્યું છેકે આજે નારો લાગ્યો છે અને કાલે એવું તો નહીં બને કે મહાદેવના ફોટાની જગ્યાએ મોદીની તસ્વીર જોવા મળે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati