Publish Date: Sun, 15 Oct 2023 (10:02 IST)
Updated Date: Sun, 15 Oct 2023 (10:30 IST)
World Students Day 2023- દર વર્ષે 15 ઓક્ટોબરે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.ને સમર્પિત છે.
જેમને ભારતના મિસાઈલ મેન કહેવામાં આવે છે. અબ્દુલ કલામના જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. વિશ્વ વિદ્યાર્થી દિવસ આ દિવસની ઉજવણી ભારત રત્ન પુરસ્કાર વિજેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનો જન્મદિવસ ઉજવવામાં આવે છે.
ડૉ. એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ, જાણો શા માટે ઉજવવામાં આવે છે 'વિશ્વ વિદ્યાર્થી દિવસ'
આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ છે. ડૉ. કલામને 'મિસાઈલ મેન ઑફ ઈન્ડિયા', 'પ્રેસિડેન્ટ ઑફ ધ પીપલ ઑફ ઈન્ડિયા' સહિત દેશ અને દુનિયામાં અનેક નામોથી ઓળખવામાં આવે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે, તેમને 30 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ તરફથી માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમના જીવન અને કાર્યની સ્મૃતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રએ 15 ઓક્ટોબરના રોજ ડૉ. કલામની જન્મજયંતિને 'વિશ્વ વિદ્યાર્થી દિવસ' તરીકે જાહેર કર્યો.