Publish Date: Tue, 16 Aug 2022 (17:29 IST)
Updated Date: Tue, 16 Aug 2022 (17:33 IST)
27 ફેબ્રુઆરી 2022ને ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેચના કોચ સળગાવી દીધા હતા. આ ટ્રેનથી કારસેવન પરત આવી રહ્યા હતા તેથી કોચમાં બેસેલા 59 સેવકોની મોત થઈ ગઈ હતી.
- તે પછી રમાખાણો ભડકી ગયા હતા. રમખાણોની આગથી બચવા માટે બિકકિસ બાનો તેમની બાળકી અને પરિવારની સાથી ગામ મૂકીને ચાલી ગઈ હતી.
- 2002માં ગુજરાતના રમખાણો દરમિયાન 19 વર્ષની બિલકિસ પર બળાત્કાર ગુજરાવામાં આવ્યો હતો. એ સમયે તે 5 મહિનાની ગર્ભવતી હતી. અપરાધિયોએ બિલકિસના પરિવારના 14 લોકોની હત્યા કરી. રમખાણો દરમિયાન બિલકિસ મખેડામાં રહેતી હતી.
તે પરિસ્થિતિ ખરાબ થયા પછી પરિવારના લોકો સાથે ત્યાથી જઈ રહી હતી. જ્યારે તોફાની તત્વોએ તેમને પકડી લીધા.
બિલકિસના આરોપો મુજબ - તે બધાને મારી રહ્યા હતા. મને પણ મારી અને થોડીવાર પછી હુ બેહોશ થઈ ગઈ. જ્યારે હુ હોશમાં આવી તો નિર્વસ્ત્ર હતી. બાળકીની લાશ પાસે જ પડી હતી અને જેટલા લોકો હતા તે મળી રહ્યા નહોતા.
તેમણે બિલકિસને એ સમજીને છોડી દીધી કે તે મરી ગઈ છે.
જ્યારે તે પોલીસ પાસે ગઈ તો તેને કોઈ મદદ ન મળી.
પોલીસે તેને એ કહીને ડરાવી કે અમે ડોક્ટર પાસે જો તને લઈ જઈશુ તો તે તને ઝેરનું ઈંજેક્શન આપી દેશે. બે ડોક્ટરોએ પણ તેની મદદ ન કરી અને ખોટી રિપોર્ટ આપી.
ત્યારબાદ બિલકિસે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડી.
કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યો હતો અને તેની ટ્રાયલ પણ ગુજરાતની બહાર કરવામાં આવી હતી.
આ લડાઈ દરમિયાન તેમને ખૂબ મુસીબતોનો સામનો કરવો પડ્યો.
જુદા જુદા સંબંધીઓ પાસેથી તેને મદદ લેવી પડી.
કારણ કે તેનો જીવ મુશ્કેલમાં હતો.