Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નસીબવાળાના હાથમાં હોય છે આવી ભાગ્યરેખા, નાની વયમાં જ બનાવી દે છે શ્રીમંત, ચેક કરો તમારો હાથ

luck line
, શુક્રવાર, 21 નવેમ્બર 2025 (06:44 IST)
luck line
Palmistry: આપણા હાથ પર અનેક પ્રકારની રેખાઓ હોય છે, જેમ કે મસ્તિષ્ક રેખા, જીવન રેખા, વિવાહ રેખા, હૃદય રેખા અને ધન  રેખા. આવી જ એક રેખા છે ભાગ્ય રેખા, જે આપણા ભાગ્ય વિશે જણાવે છે. કેટલાક લોકોની ભાગ્ય રેખા એક હોય છે, જ્યારે કેટલાકના બે હોય છે. કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે ભાગ્ય રેખા બિલકુલ હોતી નથી. એવું કહેવાય છે કે આવા લોકોનું જીવન સંઘર્ષમાં પસાર થાય છે. આજે, અમે તમને જણાવીશું કે ભાગ્ય રેખા ક્યાંથી શરૂ થાય છે અને કઈ રેખા શુભ માનવામાં આવે છે.
 
ભાગ્ય રેખા ક્યા હોય છે ? (Bhagya Rekha Kya Hoy Che)
ભાગ્ય રેખા ખાસ કરીને હથેળીના કાંડાથી શરૂ થાય છે અને મધ્યમ આંગળીના નીચેના ભાગ સુધી જાય છે, એટલે કે કાંડાથી શરૂ થઈને શનિ પર્વત સુધી પહોંચતી રેખાને ભાગ્ય રેખા કહેવામાં આવે છે.
 
આવી ભાગ્ય રેખા શુભ કહેવાય (Shubh Bhagya Rekha)
કાંડાની નજીકથી શરૂ થતી અને ક્યાય પણ કપાયા વિના શનિ પર્વત સુધી પહોંચતી ભાગ્ય રેખા અત્યંત શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવી ભાગ્ય રેખા ધરાવતા લોકો જીવનમાં ખૂબ સફળતા મેળવે છે. આવા લોકોનું  કરિયર ઉત્તમ હોય છે અને તેઓ હંમેશા આર્થિક રીતે સમૃદ્ધ રહે છે. તે
 
ખૂબ ઓછા લોકોના હાથમાં હોય છે આવી ભાગ્ય રેખા 
જેમની ભાગ્ય રેખા શનિ પર્વત પર પહોચીને વિભાજીત થાય છે તેઓ અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ જીવનમાં ધન અને સન્માન બંને કરે છે. આ લોકો હંમેશા બીજાઓને મદદ કરવા તૈયાર રહે છે.
 
આવી ભાગ્ય રેખાવાળા કરિયરમાં મેળવે છે સફળતા 
ભાગ્ય રેખાની નાની-નાની શાખાઓ નીકળવી અત્યંત શુભ માનવામાં આવે છે. આવા લોકો પોતાના કરિયરમાં ઝડપથી પ્રગતિ કરે છે. તેમને પૈસાની કોઈ કમી નથી રહેતી.
 
જો ભાગ્ય રેખાનો અંત આ રીતે થાય તો  
જો ભાગ્ય રેખા સીધી શરૂ થાય છે પરંતુ પગથિયાંવાળા આકારમાં સમાપ્ત થાય છે, તો આવા લોકો અત્યંત મહેનતુ માનવામાં આવે છે. આ લોકો સખત મહેનત અને દ્રઢતા દ્વારા પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરે છે. તેઓ પોતાની આગવી ઓળખ બનાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

21 નવેમ્બરનું રાશિફળ - આજે બની રહ્યો છે શુભ યોગ, આ રાશિના જાતકોને થશે ફાયદો