Publish Date: Sat, 07 May 2022 (00:01 IST)
Updated Date: Sat, 07 May 2022 (00:38 IST)
હસ્તરેખા શાસ્ત્રમાં ચિહ્નનુ ખૂબ જ મહત્વ હોય છે. આ નિશાન શુભ અને અશુભ બંને પ્રકારના સંકેત આપે છે. આમાંથી જ એક નિશાન છે Y. હાથમાં રેખાના સંયોજનથી વાયનુ નિશાન બને છે. Y નિશાન રેખાઓ પર ઉપસ્થિતિ નએ તેનુ સ્થન ખૂબ મહત્વ ધરાવે છે. જ્યોતિષ મુજબ જીવન રેખામાંથી નીકળીને કોઈ રેખા ચન્દ્ર પર્વત તરફ જતા આ રેખા ઉંઘો Y બનાવે છે. આ રેખા જોવામાં ભલે સામાન્ય લાગે પણ વ્યક્તિના જીવનમાં તેનો ખૂબ વધુ પ્રભાવ હોય છે. હથેળીમાં આ પ્રકારની બે રેખાઓ હોય છે. એક રેખા જે શુભ સંકેત આપનારી હોય છે અને બીજો અશુભ સંકેત દેનારી હોય છે.
જો રેખા જીવન રેખાથી થઈને ચંદ્ર પર્વત પર જઈને રોકાય જાય છે. એવી સ્થિતિમાં બનેલ Y નુ નિસ્ય્હાન શુભ ફળદાયક માનવામાં આવે છે. આવ Y ના નિશાન જે વ્યક્તિની હથેળીમાં હોય છે તે વિદેશ યાત્રા કરે છે. આવા લોકો પોતાનો વ્યવસાય કરે છે અને તે વિદેશો સુધી પોતાનો વેપાર ફેલાવે છે. આવા લોકો આર્થિક રૂપથી સંપન્ન હોય છે અને ખુશહાલ જીવન વિતાવે છે. જાતકની હથેળીની રેખા જો જીવનરેકહથી નીકળીને સાધારણ Yનુ નિશાન બનાવી રહી છે તો અશુભ માનવામાં આવે છે. આ રેખા જીવન, જીવનશક્તિને ઓછો કરનારી માનવામાં આવે છે. જે વયમાં આ રેખા જીવનરેખાને કાપે છે એ વયમાં વ્યક્તિની જીવનશક્તિ કમજોર થવા માંડે છે. આવો વ્યક્તિ બીમાર થઈ જાય છે.