Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જેમના હાથમાં આવી હોય લગ્નની રેખા, તો ખૂબ ધ્યાન રાખે છે પત્ની

જેમના હાથમાં આવી  હોય લગ્નની રેખા,  તો ખૂબ ધ્યાન રાખે છે પત્ની
, સોમવાર, 5 એપ્રિલ 2021 (11:04 IST)
હસ્તરેખા વિજ્ઞાનમાં લગ્નની રેખા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વ્યક્તિના વૈવાહિક જીવન વિશે બતાવે છે. લગ્ન રેખાનો ઉદ્ધવ અને તેના આગળ વધવાની સ્થિતિ વ્યક્તિના વૈવાહિક જીવન વિશે ઘણા સંકેત આપે છે. 
 
- હસ્તરેખા વિજ્ઞાન મુજબ જો કોઈ પુરુષની ડાબી બાજુ લગ્નની બે લાઇન હોય અને એક જમણી બાજુ એક હોય, તો આવા લોકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાવાળી પત્ની મળે છે. આવા લોકોની પત્ની તેના પતિ માટે ખૂબ પ્રેમાળ અને ખૂબ કાળજી લેનારી હોય છે. જો પરિસ્થિતિ વિપરીત હોય તો એટલે કે લગ્નની સંખ્યા જમણા હાથમાં બે છે અને એક ડાબી બાજુ એક હોય તો  પછી પત્ની તેના પતિની સંભાળ લેતી નથી.
 
-  જો બંને હાથમાં લગ્નરેખાની લંબાઈ સમાન હોય અને સમાન શુભ સંકેતોવાળી હોય તો આવા લોકોનું વૈવાહિક જીવન ખૂબ જ ખુશહાલ રહે છે. જે લોકોના હાથમાં આ સંયોગ છે તે તેમનો જીવનસાથી સાથે ખૂબ સારા તાલમેલ રહે છે.
 
- જો વ્યક્તિના હાથમાં વિવાહ રેખા ઉપરની તરફ વળી જાય અને નાની આગળી સુધી પહોંચે તો આવી વ્યક્તિના લગ્નમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સામાન્ય આવી વિવાહ રેખાવાળા વ્યક્તિના લગ્ન થવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આવા લોકો કુંવારા રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

April Horoscope 2021: એપ્રિલમાં અનેક મોટા ગ્રહોની બદલાશે ચાલ, જાણો કંઈ રાશિઓને થશે મહાલાભ