Publish Date: Sat, 23 May 2020 (09:03 IST)
Updated Date: Sat, 23 May 2020 (10:02 IST)
25 મેની સવારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સાથે જ નૌતપાની શરૂઆત થશે. નૌતપાના નવ દિવસોને ગરમીની ચરમસીમા માનવામાં આવે છે, પરંતુ આ વખતે 30 મેના રોજ શુક્રના પોતાના જ રાશિ વૃષભમાં પરિવર્તનના સંકેતને લીધે ગરમી ઓછી પડશે . નૌતપાના છેલ્લા બે દિવસ પણ જોરદાર પવન અને વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતા છે.
શુક્ર મુખ્ય ગ્રહ છે, તેથી તે તાપથી રાહત પણ આપશે જ્યોતિષના જણાવ્યા મુજબ 25 મેના રોજ સૂર્ય રોહિણી નક્ષત્રના પ્રવેશ સાથે, આ નક્ષત્ર 15 દિવસ રહેશે, પરંતુ આ સમયગાળાના પ્રથમ નવ દિવસોમાં વધુ ગરમી પડે છે, તેને નૌતાપનો દિવસ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ સમય દરમિયાન સૂર્યના લાંબા કિરણો સીધી પૃથ્વી પર પડે છે. જેના કારણે તાપ વધવા માંડે છે.
જયેષ્ઠ શુક્લ 25 મેથી સૂર્ય કૃતિકાથી રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. હાલમાં સૂર્યની સાથે શુક્ર પણ વૃષભમાં છે. તેની શરૂઆતના સાત દિવસોમાં સૂર્ય જોરદાર તપશે , સૂર્યના 15 દિવસો રોહિણી નક્ષત્રમાં શરૂઆતના નવ દિવસ તાપ વધુ રહેશે. તેના પ્રભાવોથી બચવા માટે લોકોએ સૂર્યની ઉપાસના કરવુ વધુ સારું રહેશે. પાણી, દહીં, દૂધ, નાળિયેર પાણી, ઠંડા પીણા પીવો. પરંતુ પછીના બે દિવસ હવામાનમાં અચાનક પરિવર્તન થવાની સંભાવના છે. તેનાથી ઉનાળામાં રાહત મળશે.
આ વર્ષે સંવત્સરના રાજા બુધ છે અને રોહિણીનો નિવાસ સંધિમાં છે. જેથી વરસાદ તો સમય પર આવી જશે પરંતુ કોઇ જગ્યાએ ઓછી માત્રામાં વરસાદ થશે. આ વર્ષે દેશના રણ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોમાં વધારે વરસાદ થઇ શકે છે. વરસાદના કારણે અનાજ અને પાક સારો થશે. ધાન્ય, દૂધ અને પેય પદાર્થોમાં તેજી રહેશે. જવ, ઘઊં, રાઈ, સરસિયો, ચણા, બાજરો, મગનો પાક આશા પ્રમાણે થશે.