Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યોતિષ 2013 : મનપસંદ નોકરી મેળવવા માટે આટલુ કરો

જ્યોતિષ 2013 : મનપસંદ નોકરી મેળવવા માટે આટલુ કરો
P.R
તમે જો નોકરી શોધી રહ્યા હોય, બધા પ્રયત્ન કરી ચુક્યા હોય તો પણ જોઈએ એવી નોકરી મળી ન રહી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તંત્ર વિજ્ઞાનની મદદથી તમે તમારી મુશ્કેલી દૂર કરી શકો છો..

નોકરી ન હોય એ વ્યક્તિને ઘરમાં કે સમાજમાં ક્યાય પણ માન સન્માન મળતુ નથી. તમે પણ નોકરી શોધી રહ્યા હોય અને ઘણા પ્રયત્ન કરવા છતા નોકરી ન મળી રહી હોય તો નિરાશ થવાની જરૂર નથી. કેટલાક સરળ તાંત્રિક ઉપાયો કરી તમે રોજગાર મેળવી શકો છો.

1. શનિવારે હનુમાનના મંદિરમાં જઈને સવા કિલો બુંદીના લાડુનો નૈવૈધ બતાવો. શુદ્ધ ઘી નો દિવો લગાવો અને મંદિરમાં બેસીને લાલ ચંદનની માળાથી આ મંત્રનો 108 વખત જપ કરો...
कवन सो काज कठिन जग माही। जो नहीं होय तात तुम पाहिं।।
ત્યારબાદ 40 દિવસ રોજ પોતાના ઘરે આ મંત્ર 108 વાર જપ કરો, 40 દિવસની અંદર તમને નોકરી મળી જશે.

2. શની અમાવસ્ત્યાના દિવસે એક લીંબૂ લઈને સાંજે તેના ચાર ટુકડા કરો અને ચાર દિશામાં એ ટુકડા ફેંકી દો. આના પ્રભાવથી તમારા રોજગારની સમસ્યા દૂર થવામાં મદદ મળશે.

3. મંગલવારથી રોજ સવારે 40 દિવસ ઉઘાડા પગે હનુમાનના મંદિરે જાવ અને લાલ ગુલાબનુ ફુલ અર્પણ કરો. આવુ કરવાથી જલ્દી નોકરી મળવાના યોગ બનશે.

4. ઈંટૃરવ્યુ પર જતા પહેલા લાલ ચંદનની માળા દ્વારા નીચે આપેલ મંત્રનો 11 વખત જપ કરો.
मंत्र : ऊँ वक्रतुण्डाय हुं જપ કરતા પહેલા ગણપતિની પૂજા કરીને દુર્વાનો અભિષેક કરો.

Share this Story:

Follow Webdunia gujarati