સ્વતંત્રતા દિવસ પર ઘણા ઉત્સવો અને જયહિંદના સૂત્રોચ્ચાર થશે, કેમ ન હોય.. આ આઝાદી દરેક દેશવાસી માટે ખૂબ જ મહત્વની છે. શહેરના યુવાઓ પણ આઝાદીનો મતલબ સમજી રહ્યા છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિમંત રાખે છે.
અમે કેટલાક યુવાઓ સાથે વાત કરીને જાણ્યુ કે આઝાદ ભારતમાં મળેલ સ્વતંત્રતાનો તેઓ કેવી રીતે ઉપભોગ કરે છે અને દેશ માટે શુ યોગદાન આપી રહ્યા છે. આ યુવાઓનુ કહેવુ છે કે અમે પણ હોશમાં છીએ અને અમારી સામે ખોટી વાત કરનારે હોશમાં આવવુ પડશે.
સપનાને સાકાર કરવાનો પ્રયત્ન
અનુરાગ ગર્ગ કહે છે કે આઝાદી સાથે ગાંધીજીએ એક અખંડ ભારતનુ સપનુ જોયુ હતુ. અમે યુવા આ સપનાને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી રીત થોડી અલગ છે. સારી નોકરીઓ મેળવીને, સારુ પેકેજ મેળવીને વિદેશોમાં અમારુ મહત્વ સમજાવીને દેશના આર્થિક વિકાસમાં મદદ કરીને પ્રત્યક્ષ નહી તો અપરોક્ષ રીતે અમે દેશને મજબૂત કરી રહ્યા છીએ.