Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લો.

રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લો.

નઇ દુનિયા

, બુધવાર, 13 ઑગસ્ટ 2008 (11:51 IST)
N.D
એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 60 વર્ષ પછી પણ આ અમારું દુર્ભાગ્ય છે કે આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યરે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ પોતાનામાં એક સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો સર્વપ્રથમ તેની લધુત્તમ એકાઈને સમજવી યોગ્ય રહેશે.

આ એકાઈ છે ઘર કે પરિવાર કેવી રીતે બને છે ? જવાબ છે ઘર કે પરિવારને માટે જોઈએ એક નિશ્ચિત ચારદિવાલથી ઘેરાયેલ ભૂ-ભાગ. પછી તે ઘર મે રહેનારા પરિવાર વચ્ચે રાગાત્મક અને આત્મીય સંબંધ, તે ઘર-પરિવારની પોતાની પરંપરાઓ, સંસ્કાર અને સંસ્કૃતિ અને સમાન મિત્ર અને સમાન શત્રુ. આ લક્ષણ જો એક ઘર કે પરિવારમાં છે, તો અમે તેને એક આદર્શ પરિવર કે આદર્શ ઘર કહીએ છીએ. બિલકુલ આ જ હકીકત કે લક્ષણ દેશ પર લાગૂ પડે છે. કારણ દેશ કોઈ માત્ર જમીનનો ટુકડો જ નથી. ભારતમાં રાષ્ટ્રની પરિકલ્પના એક અત્યંત પ્રાચીન પરિકલ્પના છે. ગંગોત્રીથી પાણી લઈને રામેશ્વરમ પર અભિષેક કરવો અને ચારો ધામની યાત્રા કરવાનો સંસ્કાર આ સેતુ હિમાચલ દેશને એક સૂત્રમાં બાઁધવાની જ પરિકલ્પના ક છે. આ કહેવુ ખોટું હશે કે સ્વાધીનતા પછી કે અંગ્રેજોની દેનથી ભારત એક રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત થયો. આ ઈતિહાસના પ્રત્યે આપણી અજ્ઞાનતાનુ એક પોતાન પ્રત્યે વિસ્મરણનુ સૂચક છે.

દેશ બને છે તેની સંસ્કૃતિથી, તેની પરંપરાઓથી, ત્યાંના રહેવાસીઓના મનમાં દેશ પ્રત્યે અસંદિગ્ધ નિશાથી. તેથી વિવિધ સંસ્કૃતિઓનો સમાવેશ કરનારો અમેરિકા દેશ પણ નાગરિકતા આપતા પહેલા પોતાના નિવાસીઓને એક લેખિત પરીક્ષામાં રાષ્ટ્રપ્રેમ સંબંધી સવાલો પૂછે છે. અમેરિકાના પૂર્વજો પ્રત્યે, અમેરિકાને શ્તાપિત કરનારાઓ માટે તમારા સંબંધો જો રાગાત્મક હોય તો જ અમેરિકામાં તમારે માટે સ્થાન છે.

આ આપણા માટે દુર્ભાગ્યની વાત છે કે સ્વતંત્રતાના છ દશકા પછી પણ ભારત આજે ઈંડિયા છે. સંજ્ઞાનુ ભાષાંતર, નામનુ ભાષાંતર એક દુર્ભાગ્યપૂર્ણ દુ:ખદાયક ઉદાહરણ છે. આ દુ:ખ ઈશારો કરે છે કે દેશમાં, દેશથી અલગ તાકતો ન તો ફક્ત સક્રિય છે, પરંતુ ખાતર-પાણી પણ મેળવી રહી છે. જેના કારણે 1929માં રાવીના તટ પર આઝાદીનો સંકલ્પ લીધા પછી 1947માં રાવી આપણી પાસે નથી. કાશ્મીર સળગી રહ્યુ છે. પૂર્વાચલમાં મિશનરી તાકતો ફૂલી ફાલી રહી છે. પંજાબ-હરિયાણાની વચ્ચે પાણીમાં આગ છે.

આ પરિદ્રશ્ય બદલવું આજે સમયની પહેલી માંગ છે. જેને માટે જરૂરી ક છે રાષ્ટ્રીયતાથી ઓતપ્રોત તાકતો ભેગી થાય, સ્વાર્થીઓને દૂર કરો અને એક સમૃધ્ધશાળી ભારતની રચના કરો, જેનુ એમાં સામથ્ય છે. આ જ શુભકામના આ જ સંકલ્પ.

Share this Story:

Follow Webdunia gujarati