Publish Date: Tue, 15 Jun 2021 (10:33 IST)
Updated Date: Tue, 15 Jun 2021 (10:36 IST)
મૌસમ બદલવાની સાથે જ મચ્છરોના આતંક પણ શરૂ થઈ જાય છે. ત્યારે મચ્છર ભગાડવા માટે કેટલાક ઉપાયો શા માટે ન કરવું પણ મચ્છર કરડી જ લે છે. ઉંઘ ખરાબ કરતા મચ્છર ક્યારે-ક્યારે આટલા
ખતરનાક હોય છે કે તેને કરડવાથી એલર્જી પણ થઈ જાય છે. ખાસ કરીને મચ્છર કરડવાથી ઘણીવાર લાલ રંગના રેશેજ પડી જાય છે. ચેહરા પર લાલ રંગના નિશાન વધુ બેકાર લાગે છે. ક્યારે-ક્યારે આ રેશેજથી
છુટકારો મેળવવા 6-7 દિવસોથી વધારેનો સમય લાગી જાય છે. તેથી જો તમાર ચેહરા પર મચ્છર કરડ્યા પછી લાલ રંગના નિશાન પડી જાય તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયોના ઉપયોગ કરી તેનાથી છુટકારો
મેળવી શકો છો.
સફરજનનો સિરકો
સફરજનનો સિરકો સ્કિન અને હેયર માટે ઉપયોગ કરાય છે. સાથે જ વજન ઘટાડવા માટે પણ સફરજનનો સિરકો પાણીમાં મિક્સ કરી પીવાય છે. તમારા ચેહરા પર જો મચ્છર કરડવાથી નિશાન પડી જાય તો તમે
ત્રણ ચમચી પાણીમાં અડધી ચમચી સફરજનનો સિરકો મિક્સ કરી લગાવી લો. નિશાન દૂર થઈ જશે.
લીંબૂના છાલટા
જો મચ્છર કરડવાથી રેશેજ બની ગયા છે તો તે જગ્યા પર લીંબૂનો છાલટો લગાવો. તેનાથી તમારા રેશેજ દૂર થઈ જશે. ખંજવાળ પણ નથી થશે.
ડુંગળીના કટકા
જો મચ્છર કરડવાથી રેશેજ પર ડુંગળીનો ટુકડો લગાવો. તેનાથી નિશાન દૂર થઈ . ખંજવાળ પણ દૂર થશે.
બેકિંગ સોડા
બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી પહેલાથી મિક્સ બનાવી લો. જ્યારે પણ મચ્છર કરડે તો કરડેલા સ્થાન પર લગાવી લો. તેનાથી રેશેજના નિશાન દૂર થશે.
એલોવેરા જેલ
તમારી સ્કિન પર મચ્છર કરડવાની પરેશાની દૂર કરશે સાથે જ સ્કિન પર ઠંડક પણ આપશે. જો મચ્છર કરડવાના સ્થાનથી લોહી નિકળી રહ્યુ છે તો તેને ઠીક કરશે અને સ્કિન પર બળતરા અને ખંજવાળની પરેશાનીને દૂર કરશે.