Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશમાં ડેંગૂથી હાહાકાર.. રામદેવે જણાવ્યો ડેંગૂનો રામબાણ ઈલાજ

દેશમાં ડેંગૂથી હાહાકાર.. રામદેવે જણાવ્યો ડેંગૂનો રામબાણ ઈલાજ
નવી દિલ્હી. , શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2015 (13:43 IST)
જ્યા એક બાજુ રાજઘાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં ડેંગૂએ હાહાકાર મચાવી રાખ્યો છે. તો બીજી બાજુ બાબા રામદેવનું કહેવુ છે કે તેમને બતાવેલ ઈલાજથી ડેંગૂને સહેલાઈથી ખતમ કરી શકાય છે. રામદેવે કેટલાક દર્દીઓના ઉદાહરણ આપતા કહ્યુ કે ફક્ત ચાર વસ્તુઓનુ જ્યુસ પીવાથી ડેંગૂને ઠીક કરી શકાય છે.  રામદેવે જણાવ્યુ કે તેમણે ડેંગૂના અનેક દર્દીઓને ઠીક કર્યા છે. રામદેવે જણાવ્યુ કે કેટલાક લોકો એંટીજન પૉજિટિવ આવ્યા પછી હોસ્પિટલ પણ નહી ગયા અને તેમણે મારા બતાવેલ રસ્તા અપનાવીને સ્વાસ્થ્ય લાભ મેળવ્યો.  ઉલ્લેખનીય છે કે ડેંગૂ દરમિયાન પ્લેટલેટ્સની સંખ્યા ઝડપથી ઘટે છે. સામાન્ય દર્દીના શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા 5 લાખ સુધીની હોય છે.  પણ ડેંગૂથી પીડિત દર્દીના શરીરમાં તેની સંખ્યા કેટલક હજાર સુધી શૂન્ય સુધી થઈ જાય છે અને તેની ઝડપથી રિકવરી ન થઈ શકવાને કારણે શરીરના અંગ કામ કરવા બંધ કરી દે છે અને રોગીનુ મોત થઈ જાય છે. 
 
રામદેવ શુ બોલ્યા - 
 
- પપૈયાના પાનના જ્યુસનો ઉપયોગ કરો 
- દાડમ, એલોવેરા અને ગળોના જ્યુસનો ઉપયોગ કરો 
- 3-4 વાર તેનુ જ્યુસ પીવાથી આરામ મળી જશે 
- દિલ્હીમાં અમે અનેક દર્દીઓને ઠીક કર્યા 
- ગળો(tinospora cordifolia)ના જ્યુસથી પ્લેટલેટ્સ વધે છે અને તાવ પણ તરત ઉતરી જાય છે. 
- આના જ્યુસની ક્રોસીન અને પેનાસીન કરતા વધુ ઝડપી અસર થાય છે 
- દાડમનું જ્યુસ પણ લીવર માટે લાભકારી છે 
- આનુ જ્યુસ પીવાથી ઈમ્યૂન સિસ્ટમ ઠીક થઈ જાય છે 
- ગળોના જ્યુસથી પ્લેટલેટ્સ વધે છે. 

Share this Story:

Follow Webdunia gujarati