Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એસીડીટીથી પરેશાન છો તો અપનાવો આ નુસ્ખા

એસીડીટીથી પરેશાન છો તો અપનાવો આ નુસ્ખા
, શનિવાર, 3 ડિસેમ્બર 2016 (13:47 IST)
મોટાભાગના લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન રહે છે. એસીડીટી ખોટુ ખાનપાન, વધુ ચા પીવાથી અને તીખો ખોરાક ખાવાથી થાય છે. એસીડીટી થતા અનેક લોકો જુદી જુદી પ્રકારની દવાઓનું સેવન કરે છે. પણ આ દવાઓથી થોડી વાર માટે જ આરામ મળે છે.   કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવીને પણ એસીડીટીને દૂર કરી શકાય છે. આજે અમે તમને એસીડીટીને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશુ. 
 
1. કાચુ દૂધ - હાઈપર એસીડીટીથી પીડિત લોકોએ કાચા દૂધનુ સેવન કરવુ જોઈએ. દૂધમાં રહેલ કેલ્શિયમથી પેટમાં એસિડ ઓછુ થાય છે. 
 
2. એલોવેરા જ્યુસ - એલોવેરા જ્યુસ એસીડિટી માટે ખૂબ લાભકારી છે. એલોવેરા જ્યુસને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વાર પીવો. 
 
3. સવારે ઉઠીને પાણી પીવો - રોજ સવારે ઉઠીને 2 ગ્લાસ પાણી પીવો. તેનાથી એસીડીટીથી છુટકારો મળશે. પાણી પેટમાં એસિડ લેવલને સંતુલિત રાખે છે. 
 
4. ફુદીનાની ચા - ફુદીના એસીડીટીની સમસ્યાને દૂર કરવા માટે કારગર છે.  એસીડીટીથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી એક કપ ફુદીનાની ચા પીવો. 
 
5. સફરજનો સિરકા - 2 મોટી ચમચી સફરજનના સિરકાને ઠંડા પાણીમાં મિક્સ કરીને પીવો. તેનાથી પાચન ક્રિયા ઠીક થાય છે અને એસીડીટી થતી નથી. 
 
6. મેથી દાણા - એક ચમચી મેથી દાણાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી મુકી દો. સવારે ઉઠીને તેને ગાળીને પીવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેલ્થ કેર - અજમો આરોગ્ય માટે જડી બુટ્ટી, જાણો અજમાના ગુણ