Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હરસ(બવાસીર)ની સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપચાર

હરસ(બવાસીર)ની સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપચાર
, સોમવાર, 21 જુલાઈ 2014 (12:27 IST)
બવાસીરને પાઈલ્સ કે મૂળવ્યાધિ પણ કહે છે. બવાસીર ખતરનાક બીમારી છે. બવાસીર 2 પ્રકારની હોય છે. લોહિયાળ  અને વાયુ કરનાર પાઈલ્સ. લોહિયાળ પાઈલ્સમાં લોહી મળમાં ચોંટીને કે ટપકીને કે પછી પિચકારીની જેમ આવે છે. પાઈલ્સ થવાને કારણે બળતરા, ખંજવાળ શરીરમાં બેચેની બની રહે છે.  વાત વાળી પાઈલ્સમાં પેટ મોટાભાગના ખરાબ રહે છે. પેટમાં ગેસ કાયમ બની રહે છે. પેટમાં ગડબડીને કારણથી પાઈલ્સ જેવી ખતરનાક બીમારી થઈ જાય છે. મળ સુકાયેલો અને કઠણ થઈ જાય છે. તેનો નિકાસ સહેલાઈથી થતો નથી. બવાસીર થવાને કારણથી બળતરા, ખંજવાળ અને શરીરમાં બેચેની કાયમ બની રહે છે. 
 
- પાઈલ્સથી છુટકારો મેળવવા માટે પેટમાં ગેસ બનાવનારી તળેલી વસ્તુઓ, મરચા મસાલાઓનું સેવન ઓછુ કરવુ જોઈએ. 
- પાઈલ્સથી છુટકારો મેળવવા માટે પ્રવાહી પદાર્થો લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવુ જોઈએ. 
- લીમડાના ફળને સુકાવીને તેનુ ચૂરણ બનાવીને સવારે પાણી સાથે ખાવાથી પાઈલ્સનો રોગ ઠીક થઈ જાય છે. 
- કમળના ફુલના લીલા પાન વાટીને તેમા થોડુ મિશ્રણ મિક્સ કરીને ખાવાથી પાઈલ્સમાં લોહી આવતુ બંધ થઈ જાય છે.  
-બકરીના દૂધનુ સેવન કરવાથી પણ બવાસીરમાં લોહી આવતુ બંધ થઈ જાય છે 
- જીરાને વાટીને પાઈલ્સના મસ્સા પર લગાવવાથી અને જીરાને સેકીને સાકર સાથે તેનુ સેવન કરવાથી પાઈલ્સથી છુટકારો મેળવી શકાય છે 
-આમલાના ચૂરણનું મધ સાથે સેવન કરવાથી પણ પાઈલ્સની બીમારીથી છુટકારો મેળવી શકાય છે. 
- પાઈલ્સ થતા દહીનુ સેવન ખૂબ જ લાભકારી હોય છે. 
-કુદરતી હાજતે જઈને આવ્યા પછી ગૂદાની આસપાસની સફાઈ કરવાથી અને ગરમ પાણીનો સેક કરવાથી આ બીમારીથી છુટકારો મેલવી શકાય છે.  
- ગોળ અને હરડનું સેવન કરવાથી પણ પાઈલ્સથી છુટકારો મેળવી શકાય છે.  

Share this Story:

Follow Webdunia gujarati