બળતરા : કેરીના પાનને સળગાવીને તેની રાખને શરીરના બળેલા ભાગ પર લગાવો. બળેલ ભાગ સારો થઈ જશે.
અનિંદ્રા : રાત્રે કેરી ખાવ અને દૂધ પીવો, આનાથી ઉંઘ સારી આવે છે.
પેટના કૃમિ : કેરીની ગોટલીનું ચુર્ણ ગરમ પાણીની સાથે ચોથી ચમચી આપવાથી પેટના કૃમિનો સફાયો થઈ જશે.
પથરી : કેરીની ગોટલીને શેકીને મીઠુ લગાડીને રોજ ખાવાથી રાહત મળશે.
દાંતની મજબુતી : કેરીના તાજા પાનને ખુબ જ ચાવીને થુંકી દો. થોડાક જ દિવસના નિરંતર પ્રયોગથી હલતાં દાંત મજબુત થઈ જશે, પેઢામાંથી લોહી વહેતુ પણ બંધ થઈ જશે.