Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'નચ બલિયે - 4' નુ સંચાલન કોણ કરશે ?

'નચ બલિયે - 4' નુ સંચાલન કોણ કરશે ?
P.R
લોકપ્રિય કાર્યક્રમ 'નચ બલિયે' ટૂંક સમયમાં જ ચોથી વાર ટીવી પર જોવા મળશે. આ કાર્યક્રમમાં સેલિબ્રિટીઝને નૃત્ય દ્વારા નિર્ણાયકો અને દર્શકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચવાનુ હોય છે.

આ સમયે ચર્ચા એ વાતની થઈ રહી છે કે કાર્યક્રમનુ સંચાલન કોણ કરશે ? અત્યાર સુધી જોવા મળ્યુ હતુ કે છેલ્લા કાર્યક્રમની વિજેતા જોડી આગળની કડીનું સંચાલન કરે છે.

'નચ બલિયે 3'નો ખિતાબ મેળવવા આમિર અને સંજીદાની જોડીએ જીત્યુ હતુ. તેથી શક્ય છે કે આ વખતે કાર્યક્રમનુ સંચાલન કરતા જોવા મળી શકે છે. આ વિશે આમિરને પૂછવામાં આવ્યુ તો તેમણે હા તો ન પાડી પણ ના પણ ન બોલ્યા.

આમિર કહે છે કે 'જરૂરી નથી કે જે પરંપરા અત્યાર સુધી ચાલતી આવી રહી છે તે તો આગળ જતાં ચાલુ જ રાખવામાં આવે. આ પ્રકારના નિર્ણયો ઘણી વાતો પર નિર્ભર કરે છે. સૌથી મુખ્ય પ્રશ્ન એ છે કે શુ દર્શકો એ જોડીને ફરી શો માં જોવા માંગે છે ?

જો 'નચ બલિયે-4' માં આમિર-સંજીદા સંચાલન કરતી જોવા મળશે તો આ તે આ કપલનો એક સાથે બીજો શો હશે. 'ક્યા દિલ મે હૈ'માં બંને સાથે કામ કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati