હાલમાં સમગ્ર ભારતના લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે ત્યારે પશુ-પક્ષીઓની હાલત પણ દુષ્કાળને કારણે કપરી બની ગઇ છે. કચ્છના સરહદી અને પછાત વિસ્તાર બન્નીના મીઠડી ગામમાં પીવાનું પાણી ન મળવાને કારણે 3 ગાયના મોત થયા હતા. મળતી વિગતો પ્રમાણે, મીઠડી ગામમાં છેલ્લા સાત દિવસથી પાણી મળી રહ્યું નથી જેથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર, ગામમાં સાત દિવસથી પાણી મળતું ન હોવાના કારણે મીઠડી ગામના લોકોએ પાણી પુરવઠા અને એસ.ડી એમને પાણી મોકલવા માટે રજૂઆત કરી હતી પરંતુ વહીવટીતંત્ર દ્ધારા તે અંગે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. અગાઉ બન્નીના વેકરીયા રણમાં પાણી ન મળવાને કારણે 2 લોકોના મોત થયાની ઘટના પણ બની હતી