Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલ રાહુલ ગાંઘી ઉનાની મુલાકાત લેશે

કેજરીવાલ  રાહુલ ગાંઘી ઉનાની મુલાકાત લેશે
, બુધવાર, 20 જુલાઈ 2016 (12:23 IST)
મળતી માહિતી મુજબ, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી ૨૧ જુલાઈએ ઉનાની મુલાકાતે આવશે.  તેઓ પીડિત પરિવારો તેમજ મૃત્યુ પામનાર પોલીસકર્મીના પરિવાર સાથે મુલાકાત કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.  જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ક્યારે ઉનાની મુલાકાત લેશે તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

જોકે તેઓ પણ આ સપ્તાહમાં જ ઉનાની મુલાકાત લેશે તેવુ વિશ્વસનીય સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ સોમનાથ અને રાજકોટની મુલાકાત લીધી હતી. તેમજ આ મુલાકાત દરમિયાન તેમણે વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો પરથી ચુંટણી લડવાની જાહેરાત પણ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં દલિતોમાં રોષ ફાટી નિકળ્યો, રાજકીય પક્ષો રાજકીય રોટલો શેકી લેવા માટે આતુર