Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આનંદીબેન અને તેમના મંત્રીમંડળે રાજ્યપાલને રાજીનામું આપી દીધું,

આનંદીબેન અને તેમના મંત્રીમંડળે  રાજ્યપાલને રાજીનામું આપી દીધું,
, બુધવાર, 3 ઑગસ્ટ 2016 (17:48 IST)
આનંદીબેન પટેલે આખરે આજે સાંજે 5ના ટકોરે રાજભવન જઈને રાજયપાલ સમક્ષ પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે. સીએમ સહિત સમગ્ર મંત્રીમંડળે પણ રાજીનામું આપી દીધું છે.મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સમગ્ર મંત્રીમંડળ સાથે રાજભવન પહોંચ્યા હતા અને વિજય રૂપાણી સહિત તમામ ભાજપી નેતાઓની હાજરીમાં રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. સાથે જ સમગ્ર મંત્રી મંડળે પણ રાજીનામું આપી દીધું છે.

આનંદીબહેન પટેલના ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી આજે સાંજે રાજીનામુ આપી દીધું છે. સાંજે પાંચ વાગ્યે રાજભવન ખાતે પહોંચ્યા હતા. તેમજ રાજ્યપાલને મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામુ સુપ્રત કર્યું હતું. રાજીનામુ આપતા સમયે રાજ્ય સરકારના પ્રધાન મંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા. આનંદી બહેનના નિર્ણયનો ભાજપની પાર્લામેન્ટરી બોર્ડે સ્વિકાર કર્યો હતો.

બે દિવસ અગાઉ આનંદીબહેન પટેલે મુખ્યપ્રધાન પદથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. જેને આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડે સ્વિકાર કર્યો છે. જે બાદ હવે આનંદીબહેન પટેલ સાંજે પાંચ વાગ્યે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત મહાપાલિકાની ટીમ સાફ-સફાઇની અદ્યતન મશીનરી સાથે વલસાડ મોકલવામાં આવી