Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં વેપારીઓએ છૂટા આપવાનો કકળાટ ટાળવા દુકાનો બંધ રાખી

અમદાવાદમાં વેપારીઓએ છૂટા આપવાનો કકળાટ ટાળવા દુકાનો બંધ રાખી
, બુધવાર, 9 નવેમ્બર 2016 (12:28 IST)
ગઇકાલે નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત બાદ આજથી 500 અને 1000ની નોટો રદ્દી બની ગઇ છે. ગઇકાલે સાંજે ઐતિહાસિક જાહેરાત બાદ સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને એટીએમની બહાર લાંબી કતારો જોવા મળી રહી હતી. અમુક જગ્યાએ મારામાર અને ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. ત્યારે આજે સવારથી જ અમદાવાદ શહેરના મહત્વના માર્કેટ્સમાં પણ દુકાનો બંધ જોવા મળી રહી છે. માધુપરા, આશ્રમ રોડ સહિતના માર્કેટ્સમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. રોકડમાં વેચાણ કરતાં વેપારીઓ ગ્રાહક પાસેથી 500 અને 1000ની નોટો સ્વીકારી શકતાં નથી, જેની સામે માર્કેટમાં 50 અને 100ની નોટોની શોર્ટેજ જોવા મળી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચલણી નોટો પર થયેલી સર્જિકલ સ્ટ્રાઈકથી ગુજરાતમાં શું પરિસ્થિતી ઉદ્ભવી ? લોકોએ જ્વેલર્સના શો રૂમમાં નોટો વટાવવા લાઈનો લગાડી