Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ !!

નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ !!
, શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (12:10 IST)
PM નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત બુધવારે લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા એટલું જ નહિ હોસ્પિટલના જનરલ બોર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઇ હતી.    સામાન્ય રીતે હોસ્પિટલમાં વીઆઇપી લોકો માટે ડોકટરોની લાઇન લાગી જતી હોય છે. પણ હીરાબાનો સાથે આવું ન થયું. તેમને 108 માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પિટલ લઇ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયા હતા.
 
   95 વર્ષના હીરાબાની સારવાર કરનાર ડો. પરેશ વોરાએ કહ્યું હતું કે, ઇસીજી, એકસ-રે અને બ્લડ ટેસ્ટ બાદ સાંજે રજા આપી દેવાઇ હતી.   હીરાબા નાના પુત્ર પંકજ સાથે ગાંધીનગરના સેકટર-22માં રહે છે. પીએમના પરિવારને એસપીજી સુરક્ષા મળે છે પણ તેમણે સુરક્ષા પણ લીધી નથી.

Share this Story:

Follow Webdunia gujarati