Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અભિનેતા પરેશ રાવલ અને દિલીપ જોશીએ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યા

અભિનેતા પરેશ રાવલ અને દિલીપ જોશીએ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યા
, મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (16:06 IST)
અભિનેતામાંથી સાંસદ બનેલા પરેશ રાવલે આજે સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યાં હતાં. તો સાથે સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના લીડ કેરેક્ટર જેઠાલાલે ( દિલીપ જોશી) પણ સાળંગપુર આવીને દર્શનનો લાભ લીધો હતો. પરેશ રાવલે કહ્યું હતું કે, મને હાલ એવો અફસોસ થાય છે કે હું પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય મળી શક્યો નથી. અને હાલમાં એ અફસોસ વધુ થઈ રહ્યો છે. એક બે વાર મારે એમને મળવાનું થયું હતું પણ સમયના કારણે હું એમને મળી શક્યો નહોતો. પણ જો મળ્યો હોત તો મને તેમના આશિર્વાદ મળ્યાં હોત. આજે અહીં આવેલા લોકોના ચહેરા પર જે લાગણી દેખાઈ રહી છે તે એક સ્વજન ગુવામ્યો હોય તેવી લાગણી દેખાય છે.આ ભક્તો અને સ્વામીની લાગણી નથી આ પોતાનો કુટુંબી ગયો હોય તેવી લાગણી છે. આવી લાગણી બહુ ઓછા સંતો તમારામાં પ્રેરી શકતાં હોય છે. તો અભિનેતા દિલીપ જોશીએ કહ્યુ હતું કે બધાને એમ જ લાગતું હતું કે બાપા તેમની જન્મ શતાબ્દી તો ઉજવશે જ પણ સ્વતંત્ર પુરૂષ છે અને શ્રીજી મહારાજની લીલાઓ એજ જાણે. તેમનો દેહ ગયો છે પણ હજી તેઓ બધાની સાથે છે અને બધાને માર્ગદર્શન આપતા રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકિય ષડયંત્રના લીધે પોલીસ તંત્ર હતાશા અનુભવે છે - ડી જી વણઝારા