Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુલ ગાંધીની રાષ્ટ્રીયતા પર નહિ યાદશક્તિ પર મને શંકા છે - અનુપમ ખેર

રાહુલ ગાંધીની રાષ્ટ્રીયતા પર નહિ યાદશક્તિ પર મને શંકા છે - અનુપમ ખેર
, સોમવાર, 5 ડિસેમ્બર 2016 (17:45 IST)
વડોદરાના VCCIના પ્રદર્શનમાં મોટીવેશન સ્પીચ આપવા આવેલા અનુપમ ખેર દ્વારા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમની યાદશક્તિ પર પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા. જયારે પ્રેક્ષકોમાંથી તાળીઓના ગડગડાટ સંભાળવા મળ્યા હતા. તાજેતરમાં દેશના તમામ થીયેટરમાં ફિલ્મ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીતનું વાદન ફરજીયાત કરવામાં આવ્યું છે અને તેનું પાલન તમામ ભારતીયોને કરવાનું રહેશે. આવા સંજોગોમાં કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટના આ આદેશ પર પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા. જયારે આજે વડોદરાના એક ઔદ્યોગિક પ્રદર્શનમાં મોટીવેશન સ્પીચ આપવા આવેલા અનુપમ ખેરે કાર્યક્રમની અંતિમ ક્ષણોમાં રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો જેમાં તેમેને હસતા હસતા પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે રાહુલ ગાંધી એક વાર જાહેરમાં આવી અને રાષ્ટ્રગીતનું ગાન કરી બતાવે અને ગીતના શબ્દોનો ઉચ્ચાર વ્યવસ્થિત રીતે કરી બતાવે. રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યા બાદ તેઓ હસી પડ્યા હતા અને કહ્યુ હતું કે મને તેમની રાષ્ટ્રીયતા પર કોઈ શંકા નથી પણ તેમની યાદશક્તિ પર જરૂરથી મને શંકા છે. આમ કહેતા જ ઓડીયન્સ માંથી તાળીઓનો ગડગડાટ શરુ થઇ ગયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયલલિતાને કાર્ડિએક અરેસ્ટ થયો હાર્ટ અટેક નહી.. જાણો શુ છે અંતર