Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં પાંચ માળનું મકાન તૂટયુ, કોઈ જાનહાનિ નહી

સુરતમાં પાંચ માળનું મકાન તૂટયુ, કોઈ જાનહાનિ નહી
, મંગળવાર, 13 ડિસેમ્બર 2011 (17:47 IST)
W.D
સુરતનાં મહિધરપુરામાં પાંચ માળની ઇમારત તૂટી પડતાં ચકચાર મચી ગઇ છે. જોકે ફાયર બ્રિગેડે આજે સવારે આ ઇમારત ખાલી કરાવી દીધી હતી. સવારે જ આ બિલ્ડીંગમાં તિરાડ જોવાં મળતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પરંતું ત્યારબાદ ફાયર બ્રિગેડે આવીને બધાને હેમખેમ બહાર કાઢ્યા હતાં. જોકે ત્યારબાદ આ પાંચ માળની ઇમારત તૂટી પડી છે. બધાને બહાર કાઢ્યા હોવાથી મોટી જાનહાની ટાળી શકાઇ છે.

આ ઇમારત તૂટી જતાં આસપાસની ઇમારતોને નુકસાન થયું છે. આ ઇમારતની આસપાસ ખોદકામ ચાલતું હતું. પાંચ માળનું મકાન તૂટી પડતાં આસપાસનાં રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે કારણકે આને કારણે આસપાસનાં વિસ્તારોમાં આવેલા મકાનોમાં પણ તિરાડ પડી છે ક્યાં તો નુકસાન થયું છે.

Share this Story:

Follow Webdunia gujarati