Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સત્ય, પ્રેમ અને ભક્તિ માટે બીજો માર્ગ પણ શોધી કાઢે એનું નામ નરેન્દ્ર મોદી

સત્ય, પ્રેમ અને ભક્તિ માટે બીજો માર્ગ પણ શોધી કાઢે એનું નામ નરેન્દ્ર મોદી
, ગુરુવાર, 21 મે 2015 (16:45 IST)
કૈલાસ-માનસરોવરનો બીજો રૂટ ખૂલતાં મોરારીબાપુએ કહ્યું કે...કૈલાસ અને માનસરોવર જવાનો એક રૂટ છે, પણ હવે એનો બીજો રૂટ પણ જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે એ પ્રકારની જાહેરાત ચીનયાત્રા દરમ્યાન નરેન્દ્ર મોદીએ કરતાં રામાયણકાર મોરારીબાપુએ કહ્યું હતું કે ‘સત્ય, પ્રેમ અને ભક્તિ માટે સજાગતા સાથે બીજો માર્ગ પણ શોધી કાઢે એનું નામ નરેન્દ્ર મોદી. કૈલાસ-માનસરોવરમાં અગાઉ માનસ કૈલાસના નામે કથા કરી છે એટલે એ રૂટની જાણકારી છે, પણ બીજા રૂટની કોઈ જાણકારી નથી. એક બાવાને જ્યારે ખબર પડે કે શિવ પાસે જવાનો બીજો માર્ગ પણ ખૂલ્યો છે તો એ બાવો જેમ રાજી થાય એમ જ હું આ બીજા રૂટની વાતથી બહુ રાજી થયો છું અને હું તો ઇચ્છું કે શિવની દિશામાં લઈ જઈ શકાય એવો ત્રીજો માર્ગ પણ બહુ ઝડપથી આપણને મળે.’

કૈલાસ-માનસરોવર પર મોરારીબાપુ દ્વારા કરવામાં આવેલી માનસ કૈલાસ કથા મોરારીબાપુના જીવનમાં અનેક રીતે મહત્વપૂર્ણ રહી છે. આ કથા દરમ્યાન તેમના ભાઈનું દેહાંત થયું હતું અને મોરારીબાપુએ લાગણીની એવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાની રામકથા ચાલુ રાખી હતી.

Share this Story:

Follow Webdunia gujarati