Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વ્યારા ટ્રક અકસ્માતમાં 7ના મોત, 35 ઘાયલ

વ્યારા ટ્રક અકસ્માતમાં 7ના મોત, 35 ઘાયલ
સૂરત. ગુજરાતના વ્યારા જિલ્લામાં આજે એક ટ્રક પલ્ટી ખાઇ જતા તેમાં સવાર 7 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં અને અન્ય 35 લોકો ઘાયલ થયાં હતા. આ ટ્રક અમદાવાદથી જાન લઇને આવી રહી હતી. ઘાયલ જાનૈયાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ભરતી કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના આજે સવારે 9 કલાકે વ્યારા જિલ્લાના રામપુરા ગાઁમના પાસે સ્પીડમાં આવતા ટ્રકે સામેથી આવતી બસથી બચવા જતા પોતાનો કંટ્રોલ ખોઇ બેસતા ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી અને ટ્રકમાં સવાર 7 લોકો મોતને ભેટયાં અને 35 જેટલા લોકો ઘાયલ થયા છે.. ઘાયલોને તાત્કાલીક વ્યારાની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રકમાં લગ્ન કરવા જઇ રહેલા જાનૈયાઓ ભર્યા હતાં.

આ ટ્રકમાં અમદાવાદથી જાન લઇને આવતા જાનૈયા હતાં. લગ્નનો ઉત્સાહ છેલ્લે માતમમાં ફેરવાઇ ગયો.

Share this Story:

Follow Webdunia gujarati