Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રત્ન કલાકારો આવ્યા રસ્તા પર !

રત્ન કલાકારો આવ્યા રસ્તા પર !

વેબ દુનિયા

સુરત , રવિવાર, 21 ડિસેમ્બર 2008 (21:34 IST)
આર્થિક મંદીને પગલે છેલ્લા કેટલાક દિવસોથી હીરા કારખાના બંધ રહેતાં ત્રસ્ત બનેલા રત્ન કલાકારો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

વૈશ્વિક આર્થિક મંદીને પગલે છેલ્લા કેટલાક દિવસોથી સુરતના હીરા કારખાના બંધ હોવાથી હજારો રત્ન કલાકારોના ચૂલા સળગતા બંધ થઇ ગયા છે. જેને પગલે અકળાયેલા રત્ન કલાકારો આજે અહીના સીતાનગર ચોકડી ખાતે એકઠા થયા હતા અને ઉગ્ર દેખાવો કર્યા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ભારે મથામણ કરવી પડી હતી.

સોમવારથી કારખાના ખુલશે !
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સીપીવાનાણીએ આ અંગે જણાવ્યું હતું કે, કારખાના માલિકો સાથે વાતચીત થઇ છે અને મોટા ભાગના કારખાના આવતી કાલથી શરૂ થઇ જશે.

Share this Story:

Follow Webdunia gujarati