Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ચાંદીનો રથ ભેટ.

મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ચાંદીનો રથ ભેટ.
અમદાવાદ , ગુરુવાર, 8 જુલાઈ 2010 (16:46 IST)
P.R
અમદાવાદ આમ તો ઐતિહાસિક ઓળખ ધરાવે છે. પરંતુ તેની એક ઓળખ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને કારણે પણ છે. રથયાત્રા ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે. જે ભારતભરમાં ગુજરાતી પંચાગ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે.

રથયાત્રાને હવે માત્ર થોડાક જ દિવસ બાકી રહ્યા છે. દેશભરમાંથી સાધુ સંતોના આગમનની શરૂઆત થઈ ગઈ છે. એ દરમિયાન દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે
પણ રથયાત્રા શરૂ થાય તે પહેલા અમદાવાદના મુસ્લીમ સમાજના અગ્રણીઓએ મંદિરના મહંત શ્રી રામેશ્વરદાસજીને ચાંદીનો રથ ભેટ આપીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે.

Share this Story:

Follow Webdunia gujarati