Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતની વૈદિક વિધિથી પ્રભાવિત પાંચ રશિયન કપલે ગુજરાતમાં આવીને પ્રભુતામાં પગલાં માંડ્યાં

ભારતની વૈદિક વિધિથી પ્રભાવિત પાંચ રશિયન કપલે ગુજરાતમાં આવીને પ્રભુતામાં પગલાં માંડ્યાં
, શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (16:18 IST)
મોસ્કો સહિતનાં જુદાં જુદાં શહેરોમાંથી આવેલાં પાંચ રશિયન કપલે પોતાના પાર્ટનર સાથે તેમની લાઇફ સારી બની રહે અને લાઇફ સારી રીતે પસાર થાય તે માટે ગુજરાતમાં આવીને ભારતની વૈદિક વિધિથી વિવાહ કરીને પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં.
ગુજરાતમાં વાસદ ખાતે આવેલા આર્ટ ઑફ લીવિંગ આશ્રમમાં પાંચ રશિયન કપલનાં વિવાહ પંડિતો દ્વારા કરાવવામાં આવ્યાં હતાં. આ પાંચેય રશિયન કપલ મધ્યમ વર્ગના છે અને નોકરિયાત છે. તેઓને હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ પ્રત્યે લગાવ છે અને વૈદિક વિધિથી લગ્ન કરવા માટે તેઓ ભારત આવ્યાં હતાં. તેઓના કહેવા પ્રમાણે વૈદિક વિધિથી લગ્ન કરીશું તો અમારા બૉન્ડ બની રહેશે એટલે આ કપલ બૅન્ગલોર આશ્રમમાં ગયાં હતાં જ્યાંથી ગુરુજી શ્રી શ્રી રવિશંકરજીએ તેમનાં લગ્ન કરાવવા માટે ગુજરાત મોકલ્યા હતા.’

Share this Story:

Follow Webdunia gujarati